New Delhi,તા.4
કેન્દ્રે પોતાની મુખ્ય આપતિ વ્યવસ્થાપન એજન્સીને જલવાયુ પરિવર્તન સાથે જોડાયેલી ઘટનાઓથી થતા નુકશાનને ઘટાડવા માટે એક વીમા પ્રોડકટ તૈયાર કરવાની જવાબદારી સોપી છે.આ પગલુ દેશમાં વધતી જતી આવી ઘટનાઓને ધ્યાનમાં લઈને ઉઠાવવામાં આવ્યુ છે.
વસ્તીનો મોટો ભાગ આ આપતીઓનો સામનો કરવા માટે અસમર્થ છે. મામલાની જાણકારી રાખતા બે લોકોએ નામ ન છાપવાની શરતે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય આપતિ વ્યવસ્થાપન ઓથોરીટીએ ભારતીય બજાર માટે એકલ જોખમ પેરામેટ્રિક વીમા પ્રોડકટ વિકસીત કરવા માટે એક કાર્ય સમુહની રચના કરી છે.આપતિ જોખમ નવીનીકરણ સમિતિ નામના સમુહમાં નાણાકીય સેવા વિભાગને સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
આ વીમા પોલીસી વાવાઝોડુ પુર, ભૂકંપ કે ત્યાં સુધી અતિ ગરમી, ઠંડી કે વરસાદ સહીત કોઈ ખાસ ઘટના થવાથી જીવન કે સંપતિનાં નુકશાન પર એક નિશ્ચિત રકમ ચુકવવી પડશે.
સુત્રોએ જણાવ્યું હતું કે એકવાર વીમાની રૂપરેખા નકકી થઈ ગયા બાદ, કેન્દ્ર સરકાર વીમા કંપનીઓને વિશેષ રૂપથી આપતિ સંભવીત ક્ષેત્રોમાં આર્થિક રીતે નબળા સમુહો માટે વિશેષ વીમા ઉત્પાદન ડીઝાઈન કરવા કહેશે જો જરૂરી જણાશે તો કેન્દ્ર સરકાર તેને કિફાયતી બનાવવા માટે પ્રિમીયમ પર સબસીડી આપશે.
આવા ઉત્પાદનોને લોંચ કરવામાં નાણાકીય સહાયતા માટે રાજયોને પણ સામેલ કરવામાં આવશે. જે અન્ય વીમાકર્તાઓ માટે ઉચ્ચ પુન:વીમા ખર્ચનાં કારણે મોંઘા થઈ શકે છે.