કેપ્સીકમ્સ રોગપ્રતિરાક શક્તિ વધારવાનું કામ પણ કરે છે. વળી તેમાં પ્રચૂર પ્રમાણમાં વિટામીન-સી હોવાથી તે મગજને સતેજ રાખે છે.
લીલા, પીળાં, લાલ ભોલર મરચાં ગોઠવીને રાખ્યા હોય તોય કેવા શોભી ઉઠે આપણે નૂડલ્સ, મંચુરિયન, પાસ્તા જેવી વાનગીઓમાં આ મરચાંનો છૂટથી ઉપયોગ કરીએ છીએ. પરંતુ તેનાથી આપણા સ્વાસ્થ્યને થતાં ફાયદા વિશે ભાગ્યે જ જાણીએ છીએ. વાસ્તવમાં આ કેપ્સીકમ્પમાં પોષક તત્વોનો ખજાનો ભર્યો પડયો છે. નિષ્ણાતો તેના વિશે જાણકારી આપતાં કહે છે..,
કેપ્સીકમ્સમાં કેલરીનું પ્રમાણ નહીંવત હોવાથી તે ખાવાથી વજન નથી વધતું. વળી તે ચયાપચયની ક્રિયામાં મદદ કરતાં હોવાથી પણ વજન ઘટાડવામાં સહાયક બને છે.
નિયમિત રીતે ભોલર મરચાંનું સેવન કરવાથી તે કેન્સરના કોષોને વિકસિત થતાં અટકાવે છે. એ રીતે કેપ્સીકમ્સ કેન્સરને દૂર રાખવામાં મદદ કરે છે.
હૃદયની વિવિધ પ્રકારની સમસ્યાઓને ખાળવામાં રંગબેરંગી શાકભાજી મહત્વની ભૂમિકા ભજવે છે. લાલ, લીલા, પીળાં ભોલર મરચાંમાં રહેલું ફ્લેવોનોઈડ્સ હૃદય રોગ થતા અટકાવે છે. ફ્લેવેનોઈડ્સ સમગ્ર શરીરમાં રક્તપરિભ્રમણ સુચારુ રીતે ચલાવવામાં સહાયક બનતા હોવાથી હૃદય રોગ થવાની ભીતિ આપોઆપ ઘટી જાય છે.
કેપ્સીકમ્સ રોગપ્રતિરાક શક્તિ વધારવાનું કામ પણ કરે છે. વળી તેમાં પ્રચૂર પ્રમાણમાં વિટામીન-સી હોવાથી તે મગજને સતેજ રાખે છે. તદુપરાંત આ મરચાં અસ્થમા સામે લડત આપવાની કામગીરી પણ બજાવે છે.
ભોલર મરચાંમાં વિટામીન એ, સી, ફ્લેવેનોઇડ્સ, અલ્કલોઈડ્સ અને ટેનિન્સ જેવા તત્વો હોવાથી તેની ગણના પૌષ્ટિક શાક તરીકે થાય છે. અલ્કલોઈડ્સ દાહ-બળતરા શાંત કરવામાં સહાયક બને છે.