Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    England fast bowler Sonny Baker ધ હંડ્રેડ ૨૦૨૫માં નોર્ધન સુપરચાર્જર્સ સામે હેટ્રિક લીધી

    August 18, 2025

    ભગવાન શ્રી કૃષ્ણની લીલાનો આધ્યાત્મિક અર્થ..

    August 18, 2025

    મંગળવારે અજા એકાદશી નુ મહત્વ

    August 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • England fast bowler Sonny Baker ધ હંડ્રેડ ૨૦૨૫માં નોર્ધન સુપરચાર્જર્સ સામે હેટ્રિક લીધી
    • ભગવાન શ્રી કૃષ્ણની લીલાનો આધ્યાત્મિક અર્થ..
    • મંગળવારે અજા એકાદશી નુ મહત્વ
    • વૃક્ષ એટલે ઓકિસજનનું નિ:શુલ્ક કારખાનું
    • ટ્રમ્પ પુતિનની ઐતિહાસિક મેગા મીટિંગ – અલાસ્કામાં કોઈ ડીલ થઈ નહીં
    • તંત્રી લેખ…ભારત અને અમેરિકાનો વેપાર સોદો અનિશ્ચિત છે
    • પીરિયડ્‌સમાં હોઉં ત્યારે પણ હું મંદિરમાં જાઉં છું :Kangana
    • ‘મજબૂત મહિલાઓ એકબીજાને ઉપર ઉઠાવે છે’:Bipasha Basu
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»GST ચાર નહીં માત્ર બે સ્લેબમાં લેવાશે : કરદાતાઓને રાહતનો સંકેત
    રાષ્ટ્રીય

    GST ચાર નહીં માત્ર બે સ્લેબમાં લેવાશે : કરદાતાઓને રાહતનો સંકેત

    Vikram RavalBy Vikram RavalAugust 18, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.18

    અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ટેરિફ વોરની સમસ્યા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિને લાલ કિલ્લા પરથી જીએસટીમાં વ્યાપક સુધારાની જાહેરાત કરી હતી. ત્યાર પછી નાણામંત્રાલે જીએસટીમાં વર્તમાન ચાર સ્લેબને બે સ્લેબમાં પરિવર્તિ કરવાની દરખાસ્ત કરી છે. આ સાથે કેન્દ્રના સૂત્રોએ રવિવારે કહ્યું કે, નેક્સ્ટ જેન જીેસટીના સુધારા ભવિષ્યમાં સિંગલ જીએસટીની દિશામાં એક મોટું પગલું સાબિત થશે.

    દેશમાં હાલમાં જીએસટીમાં ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકાના ચાર સ્લેબ લાગુ છે. પીએમ મોદીની જીએસટીમાં સુધારાની જાહેરાત હેઠળ ૧૨ ટકા અને ૨૮ ટકા સ્લેબ ખતમ કરીને માત્ર ૫ ટકા અને ૧૮ ટકા સ્લેબ રાખવામાં આવશે. અત્યારે ૧૨ ટકા ટેક્સના દાયરામાં આવતી ૯૯ ટકા વસ્તુઓનો ૫ ટકાના સ્લેબ હેઠળ સમાવેશ કરવાનું સૂચન છે. બીજીબાજુ ૨૮ ટકા ટેક્સમાં આવતી લગભગ ૯૦ ટકા વસ્તુઓને ૧૮ ટકા જીએસટી હેઠળ આવરી લેવાશે. જીએસટી પરિષદની સપ્ટેમ્બરમાં યોજાનારી બેઠકમાં જીએસટીના ચારમાંથી બે સ્લેબ કરવાના નાણા મંત્રાલયના પ્રસ્તાવને મંજૂર કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે, નેક્સ્ટ જેન જીએસટીમાં પણ પેટ્રોલિયમ ઉત્પાદનોને બહાર રાખવામાં આવે તેવી શક્યતા છે જ્યારે હીર અને કિંમતી પથ્થરો જેવા કામદાર અને નિકાસ આધારિત ઉત્પાદનો પર સમાન દરે કર લાગતો રહેશે.

    નાણામંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે, ટેક્સ ઘટાડવાનો આશય લોકોના ખીસ્સામાં વધુ રૂપિયા રાખવાનો છે, જેથી વપરાશ વધે. તેમનું માનવું છે કે ઓછા ટેક્સથી વસ્તુઓના ભાવ ઘટશે, જેના પરિણામે માગ વધશે અને અર્થતંત્રને મજબૂતી મળશે. એક અધિકારીએ કહ્યું કે, નીચા ટેક્સનો અર્થ લોકો પાસે વધુ રૂપિયા હશે અને તેની સીધી અસર બજાર પર જોવા મળશે. સરકારનું માનવું છે કે શરૂઆતમાં ભલે સરકારની આવક પર અસર થશે, પરંતુ વપરાશ વધતા આ નુકસાન ભરપાઈ થઈ જશે.

    સૂત્રો મુજબ આ સુધારા પર છ મહિના કરતા વધુ સમયથી અનેક બેઠકોમાં ચર્ચા થઈ હતી. દરેક વસ્તુની અલગ અલગ સમીક્ષા કરાઈ હતી. ખેડૂતો માટે જંતુનાશક હોય કે વિદ્યાર્થીઓ માટે પેન્સિલ કે એમએસએમઈ માટે કાચો માલ. આ બધાને ધ્યાનમાં રાખતા વસ્તુઓને ‘મેરિટ ગુડ્સ’ અને ‘સ્ટાન્ડર્ડ ગૂડ્સ’માં વિભાજિત કરાયા છે. અધિકારીઓનું કહેવું છે કે આ માત્ર ટૂંકાગાળાનું સમાધાન નથી પરંતુ એક સ્થાયી માળખું હશે, જે ટેક્સમાં સ્થિરતા લાવશે અને ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) જેવી સમસ્યાઓને પણ દૂર કરશે.

    સૂત્રો મુજબ ભારત અત્યારે અલગ અલગ આવક અને વપરાશ ક્ષમતાવાળો દેશ છે, તેથી સિંગલ જીએસટી દરનો સમય હજુ આવ્યો નથી, પરંતુ જેમ જેમ ભારત વિકસિત દેશોની લાઈનમાં આવશે તેમ આ ટેક્સ સિંગલ થઈ જશે. વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બની જશે ત્યારે સિંગલ સ્લેબ જીએસટી લાગુ કરવાની સંભાવના વધી જશે. અત્યારનું નેક્સ્ટ જેન જીએસટી આ લક્ષ્ય સુધી પહોંચવાનો પૂર્વાભ્યાસ માનવામાં આવે છે.

    આ સુધારા એવા સમયે થઈ રહ્યા છે જ્યારે જીએસટી આવક સ્થિર રહી છે, મેક્રોઈકોનોમિક સંકેતકોમાં સુધારો થયો છે અને આગામી સમયમાં મુક્ત વેપાર કરારો થઈ રહ્યા છે. ઉદ્યોગના નિષ્ણાંતો સામાન્ય વસ્તુઓની કિંમતમાં નોંધપાત્ર ઘટાડાની અપેક્ષા રાખે છે જેનાથી માગ વધશે. ૧૨ ટકાનો સ્લેબ હટાવવાથી મધ્યમ વર્ગ, ખેડૂતો, મહિલાઓ અને વિદ્યાર્થીઓને લાભ થવાની આશા છે. જીએસટી કાઉન્સિલ દ્વારા સપ્ટેમ્બરમાં મંત્રીઓના જૂથની ભલામણોની સમીક્ષા સાથે જ સરકાર તેના ઝડપી અમલ કરવા ઈચ્છે છે જેથી દિવાળી પહેલાં જ નાગરિકોને લાભ મળે તે સુનિશ્ચિત કરી શકાય.

    દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાજ્યોને અપીલ કરી છે કે દિવાળી પહેલાં કેન્દ્ર સરકારના આગામી પેઢીના જીએસટી સુધારાના અમલને દિવાળી પહેલા જ લાગુ કરવામાં રાજ્યો મદદ કરે. જીએસટીમાં સુધારાનો મુસદ્દો રાજ્યોને આપી દેવાયો છે. અમારા માટે સુધારાનો અર્થ સુશાસનને આગળ વધારવાનો છે. સરકાર સતત સુધારા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. આ સુધારાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સાથે નાના અને મોટા ઉદ્યોગપતિઓને પણ લાભ થશે. આ સુધારાનો આશય જીએસટીને સરળ બનાવવા અને દરોમાં સંશોધન કરવાનો છે. આ દિવાળીએ લોકોને જીએસટીમાં સુધારાથી બમણું બોનસ મળશે.

    GST only two slabs relief for taxpayers
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Future ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    August 18, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    August 18, 2025
    ગુજરાત

    Gujarat નું દેવું 4.90 લાખ કરોડને પાર, તાયફાઓ પાછળ સરકારનો ધૂમ ખર્ચ

    August 18, 2025
    આંતરરાષ્ટ્રીય

    Afghanistan રોકશે પાણી : પાક., ઈરાનની ઉંઘ હરામ

    August 18, 2025
    રાષ્ટ્રીય

    ‘vote theft’ મુદ્દે વિપક્ષ સંસદમાં મહાભિયોગનો પ્રસ્તાવ લાવે તેવી શક્યતા

    August 18, 2025
    અન્ય રાજ્યો

    Hyderabad માં જન્માષ્ટમીની શોભાયાત્રામાં દુર્ઘટના,રથ વીજ તાર સાથે અથડાતા 5 ભક્તોના મોત

    August 18, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    England fast bowler Sonny Baker ધ હંડ્રેડ ૨૦૨૫માં નોર્ધન સુપરચાર્જર્સ સામે હેટ્રિક લીધી

    August 18, 2025

    ભગવાન શ્રી કૃષ્ણની લીલાનો આધ્યાત્મિક અર્થ..

    August 18, 2025

    મંગળવારે અજા એકાદશી નુ મહત્વ

    August 18, 2025

    વૃક્ષ એટલે ઓકિસજનનું નિ:શુલ્ક કારખાનું

    August 18, 2025

    ટ્રમ્પ પુતિનની ઐતિહાસિક મેગા મીટિંગ – અલાસ્કામાં કોઈ ડીલ થઈ નહીં

    August 18, 2025

    તંત્રી લેખ…ભારત અને અમેરિકાનો વેપાર સોદો અનિશ્ચિત છે

    August 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    England fast bowler Sonny Baker ધ હંડ્રેડ ૨૦૨૫માં નોર્ધન સુપરચાર્જર્સ સામે હેટ્રિક લીધી

    August 18, 2025

    ભગવાન શ્રી કૃષ્ણની લીલાનો આધ્યાત્મિક અર્થ..

    August 18, 2025

    મંગળવારે અજા એકાદશી નુ મહત્વ

    August 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.