Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આઠમું પગાર પંચ 2026માં લાગુ નહીં થાય, અમલીકરણ માટે બે વર્ષ સુધી રાહ જોવી પડશે

    June 12, 2025

    Ahmedabad airport નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 25થી વધુ મૃતદેહો મળ્યા

    June 12, 2025

    G-7ની કેનેડા પરિષદમાં જતાં પહેલાં PM નરેન્દ્ર મોદી સાયપ્રસ જશે, વળતાં ક્રોએશિયા જશે

    June 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આઠમું પગાર પંચ 2026માં લાગુ નહીં થાય, અમલીકરણ માટે બે વર્ષ સુધી રાહ જોવી પડશે
    • Ahmedabad airport નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 25થી વધુ મૃતદેહો મળ્યા
    • G-7ની કેનેડા પરિષદમાં જતાં પહેલાં PM નરેન્દ્ર મોદી સાયપ્રસ જશે, વળતાં ક્રોએશિયા જશે
    • Monalisa ને ફિલ્મમાં ચાન્સ આપનારા ડિરેક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનારી લુટેરી દુલ્હન નીકળી
    • જમીનનું વળતર ઓછું મળતા Farmer હાઇવે પર દીવાલ બાંધવાનું શરૂ કર્યુ
    • મધ્યપૂર્વમાં વધુ એક યુદ્ધના ભણકારાં, American citizens ને પાછા બોલાવવા ટ્રમ્પનો આદેશ
    • Bangladesh ને રાષ્ટ્રગીતની ભેટ ટાગોરે આપી હતી, તેમની હવેલી હુમલાખોરોએ તોડી પાડી
    • US ના ટોપ જનરલે પાકિસ્તાનના કર્યા વખાણ,શાનદાર પાર્ટનર ગણાવ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujarat માં 108 ટકા વરસાદ, 49 લોકોના મોત, પૂરગ્રસ્તોને 8 કરોડથી વધુની કેશડોલ્સ ચૂકવાઇ
    ગુજરાત

    Gujarat માં 108 ટકા વરસાદ, 49 લોકોના મોત, પૂરગ્રસ્તોને 8 કરોડથી વધુની કેશડોલ્સ ચૂકવાઇ

    Vikram RavalBy Vikram RavalSeptember 4, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gujarat,તા.04 

    રાજ્યમાં 25 થી 30 ઓગસ્ટ દરમિયાન પડેલા ભારે વરસાદના લીધે ગુજરાત જળબંબાકાર થઇ ગયું હતું. જેને લીધે રાજ્યમાં જાન અને માલહાનિ સર્જાઇ હતી. ભારે વરસાદના કારણે 49 વ્યક્તિઓના મોત થયા હતા અને લોકોની ઘરવખરીને ભારે નુકસાન પણ થયું છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી રાજ્યમાં 108 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. આમ, તમામ ઝોનમાં 100 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

    ત્યારે આજે રાહત કમિશનર આલોક પાંડેએ ભારે વરસાદના લીધે થયેલા નુકસાનનો અહેવાલ રજૂ કરતાં જણાવ્યું હતું કે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ડિપ્રેશન સર્જાતા ભારે વરસાદ ખાબક્યો છે. આ દરમિયાન (25 થી 30 ઓગસ્ટ)  30 ટકા જેટલો વરસાદ 14 જિલ્લા પ્રભાવિત થયા છે. પૂરગ્રસ્ત વિસ્તારોના 16,95,561 લોકોને 8 કરોડથી વધુ કેશડોલ ચૂકવવામાં આવી છે.

    જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં અસરગ્રસ્ત પરિવારોને કેશડોલ્સ અને ઘરવખરી સહાયની નિયમાનુસારની ચુકવણી પ્રક્રિયા અસરગ્રસ્તોનો સરવે કરીને હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત વરસાદથી અસર પામેલા જરૂરિયાતમંદ વ્યક્તિઓ-પરિવારો કે જેમની રોજી-રોટીને અસર થઈ છે તથા ઘરવખરી સામાન તણાઈ જવાથી કે નાશ થવાથી નુકસાન થયું છે તેમને રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવણી કરવામાં આવી છે.

    8 કરોડની વધુની કેશડોલ્સની ચૂકવણી

    રાહત કમિશનર આલોકકુમાર પાંડે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘રાજ્યના વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, કચ્છ, ખેડા, ગાંધીનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા, નવસારી અને પોરબંદર, મોરબી તથા વલસાડ જિલ્લામાં કુલ 1120 ટીમ દ્વારા સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. અહીં 3 સપ્ટેમ્બર સુધીમાં પૂરગ્રસ્ત વિસ્તારોના 16,95,561 લોકોને 8 કરોડથી વધુ કેશડોલ્સ ચૂકવવામાં આવી છે, જેમાં 5 હજાર લોકોને તાત્કાલિક કેશડોલ્સ ચૂકવાઈ હતી. આ ઉપરાંત 11 પરિવારને 50 હજારની ઘરવખરી અપાઈ હતી.’

    ઉલ્લેખનીય છે કે 22 મૃતકોના પરિવારજનોને 88 લાખની સહાય ચૂકવી દેવામાં આવી છે. જો કે ફક્ત બે-ત્રણ લોકોને સહાય ચૂકવવાની બાકી છે, જેમને આગામી બે દિવસમાં ચૂકવી દેવામાં આવશે.

    પશુના મોત અને મકાન સહાય માટે 367 કરોડ ચૂકવ્યા

    રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક કાચા-પાકા મકાનો અને ઝૂંપડાં તૂટી ગયા હતા તેમજ રાજ્યમાં 2618 પશુઓના મોત થયા હતા.  જેના માટે 367 કરોડની સહાય પેટે ચૂકાવવામાં આવ્યા છે. આ દરમિયાન એનડીઆરએફ, એસડીઆરએફ, એરફોર્સ અને આર્મીની 9 કોલમની મદદથી 43 હજાર, 83 લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા, જ્યારે 37,050 લોકોને બચાવાયા હતા. આ દરમિયાન 53 વ્યક્તિને એરલિફ્ટ પણ કરાઈ હતી.

    દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ગત બે દિવસ દરમિયાન વરસેલા વરસાદના કારણે કેટલાક જિલ્લામાં સરવેની કામગીરી ચાલી રહી છે. હવે પીડિત પરિવારો-વ્યક્તિઓની સંખ્યાની વિગતો જેમ ઉપલબ્ધ થતી જશે, તેમ જિલ્લા વહીવટી તંત્ર ઘરવખરી-કપડાંની સહાય તેમજ માનવ મૃત્યુ, પશુ મૃત્યુ, ઘરને નુકસાનની ઘટનામાં આર્થિક મદદ કરતું રહેશે.

    cash-doll Gujarat Rain Rain-Forecast
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad airport નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 25થી વધુ મૃતદેહો મળ્યા

    June 12, 2025
    રાજકોટ

    Rajkot: નજીક કિસાન પેટ્રોલ પંપ પાસે ટ્રેનની ઠોકરે બે મિત્રોના મોત

    June 11, 2025
    રાજકોટ

    Rajkot: બે લોનધારકને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સાદી કેદ

    June 11, 2025
    રાજકોટ

    Rajkot: બુટલેગર હર્ષદ મહાજન સહિત છ શખ્સ જુગાર રમતા ઝડપાયા

    June 11, 2025
    રાજકોટ

    Rajkot: ચોરાઉ બાઈક સાથે યુવાનને દબોચી લીધો

    June 11, 2025
    રાજકોટ

    Rajkot: કોમ્પ્લેક્સના બીજા માળેથી પટકાયેલા યુવાન નું મોત

    June 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આઠમું પગાર પંચ 2026માં લાગુ નહીં થાય, અમલીકરણ માટે બે વર્ષ સુધી રાહ જોવી પડશે

    June 12, 2025

    Ahmedabad airport નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 25થી વધુ મૃતદેહો મળ્યા

    June 12, 2025

    G-7ની કેનેડા પરિષદમાં જતાં પહેલાં PM નરેન્દ્ર મોદી સાયપ્રસ જશે, વળતાં ક્રોએશિયા જશે

    June 12, 2025

    Monalisa ને ફિલ્મમાં ચાન્સ આપનારા ડિરેક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનારી લુટેરી દુલ્હન નીકળી

    June 12, 2025

    જમીનનું વળતર ઓછું મળતા Farmer હાઇવે પર દીવાલ બાંધવાનું શરૂ કર્યુ

    June 12, 2025

    મધ્યપૂર્વમાં વધુ એક યુદ્ધના ભણકારાં, American citizens ને પાછા બોલાવવા ટ્રમ્પનો આદેશ

    June 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આઠમું પગાર પંચ 2026માં લાગુ નહીં થાય, અમલીકરણ માટે બે વર્ષ સુધી રાહ જોવી પડશે

    June 12, 2025

    Ahmedabad airport નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 25થી વધુ મૃતદેહો મળ્યા

    June 12, 2025

    G-7ની કેનેડા પરિષદમાં જતાં પહેલાં PM નરેન્દ્ર મોદી સાયપ્રસ જશે, વળતાં ક્રોએશિયા જશે

    June 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.