Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પિતાના અવસાન પછીMannara Chopra ખૂબ જ દુઃખી દેખાઈ રહી હતી

    June 17, 2025

    Karun Nair લગભગ આઠ વર્ષ પછી ભારતીય ટીમમાં પાછો ફર્યો છે

    June 17, 2025

    Sophie Devine ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટર સોફી ડિવાઇનએ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પિતાના અવસાન પછીMannara Chopra ખૂબ જ દુઃખી દેખાઈ રહી હતી
    • Karun Nair લગભગ આઠ વર્ષ પછી ભારતીય ટીમમાં પાછો ફર્યો છે
    • Sophie Devine ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટર સોફી ડિવાઇનએ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
    • તંત્રી લેખ…જાતિગત વસ્તી ગણતરી, રાહ જોયા પછી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
    • Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી
    • Junagadh: પતિ સાથે આડા સબંધ હોવાનું કહેતા યુવતી અને તેના પતિએ મહિલાને ઢીકાપાટુનો માર માર્યો
    • Junagadh: માંગરોળ પંથકમા પિયર માંથી ગાડી લેવાના પૈસા લેવાની ના પાડતા પરણિતાને દુઃખ ત્રાસ
    • Junagadh: ભાગોળેથી રૂા. ૬૦,૩૬,૮૦૦ નો વિદેશી દારૂ પકડી પાડતી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot માં પાંજરાપોળમાં ગાયોના મોત મામલે ગરમાઈ રાજનીતિ
    રાજકોટ

    Rajkot માં પાંજરાપોળમાં ગાયોના મોત મામલે ગરમાઈ રાજનીતિ

    Vikram RavalBy Vikram RavalSeptember 23, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગાયને માતા કહી મત માગતા શાસકો ગાયોના મોત મામલે મૌન

    Rajkot,તા.૨૩

    રાજકોટમાં પાંજરાપોળમાં ત્રણ મહિનામાં ૭૫૬ જેટલી પશુના મોત થયા છે. મોટી સંખ્યામાં ગૌવંશના મોત બાદ તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. આ મામલે રાજનીતિ પણ ગરમાઈ છે. કોંગ્રેસના માલધારી સેલે કોર્પેરેશન અને સામાજિક સંસ્થાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. માલધારી સમાજે આક્ષેપ કર્યો છે કે ગાયને માતા કહી મત માગતા શાસકો ગાયોના મોત મામલે મૌન છે. તેમણે પ્રહાર કર્યો કે અધિકારીઓ જાડી ચામડીના થઈ ગયા છે. તેમણે આરોપ લગાવ્યો કે રાજકોટ મહાનગરપાલિકા પાસે જ્યારે ઢોર ડબ્બો હતો ત્યારે પણ ગૌવંશની દયનિય હાલત હતી અને હાલ તેના કરતા પણ વધુ દયનિય હાલત છે.

    આ તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે લુલો બચાવ કર્યો કે ભાદરવા મહિનામાં માંદી ગાયોના વધુ પ્રમાણમાં મોત થયા છે. કોર્પોરેશન પણ આ માંદી ગાયોની જ સેવા કરી રહ્યુ છે. રાજકોટમાં ઢોર ડબ્બાઓમાં ગાયોની દયનિય હાલત છે. વધુમાં તેમણે જણાવ્યુ કે હાલ જે ટ્રસ્ટને ચલાવવા આપ્યુ છે તેની કામગીરીની પણ સમીક્ષા કરાશે.

    છેલ્લા ૩ મહિનામાં ૧૦૮ ગાયના મોત મળી કુલ ૭૫૬ પશુઓના મોત થયાનું કોર્પોરેશને સ્વીકાર્યુ છે. ત્યારે ભાદરવા મહિના પર દોષનો ટોપલો ઢોળતા ચેરમેન સાહેબને એ જાણ હોવી જોઈએ કે હજુ ભાદરવો મહિનો શરૂ થયો તેને માત્ર ૧૦ દિવસ થયા છે અને ગાયો એ પહેલા મોતને ભેટી છે. રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત પાંજરાપોળમાં ગાયોની સ્થિતિ અત્યંત દયનિય હોવાનુ સામે આવ્યુ છે. જેને લઈને માલધારી સમાજમાં પણ રોષની લાગણી ફેલાઈ છે.

    બે દિવસ પહેલા રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યુ હતુ. જેમા વોર્ડ નંબર ૧૫ના કોર્પોરેટર દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. જેમા આ ચોંકવનારા આંકડા સામે આવ્યા છે. કોર્પોરેશન દ્વારા વિપક્ષના સવાલ પર જવાબ આપવામાં આવ્યો કે, મોટા પશુઓ ઘોડા, ગાય, બળદ-ખૂંટને દરરોજ ૨૦ કિલો અને નાના પશુ બકરી, વાછરડી, પાડીને ૧૦ કિલો દૈનિક ઘાસચારો આપવામાં આવતો હોય છે. ત્યારે સવાલ એ થાય કે માત્ર ૩ મહિનામાં આટલાં બધાં પશુઓ મૃત્યુ કેવી રીતે પામે? મનપા દ્વારા મોટા પશુના નિભાવ માટે જીવદયા ટ્રસ્ટને પ્રતિ ઢોરદીઠ પ્રતિ દિવસ ૫૦ અને નાના ઢોર માટે પ્રતિઢોર દીઠ પ્રતિ દિવસ ૩૫ રૂપિયા ગ્રાન્ટ ચૂકવવામાં આવે છે. છતાં પણ કેમ મોત થયા તે સવાલ ચોક્કસ ઉઠી રહ્યો છે.

    હાલ આ સમગ્ર મામલે એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. તેમા પાંજરાપોળના સંચાલકોને બોલાવવામાં આવશે અને મનપાના અધિકારીઓને સાથે રાખી બેઠકમાં ગાયોના મોત પાછળના કારણો મામલે સમીક્ષા કરવામાં આવશે.મનપા સંચાલિત આ પાંજરાપોળમાં શહેરભરના તમામ બિનવારસી અને રખડતા ઢોરને પકડીને રાખવામાં આવે છે.આ પાંજરાપોળના નિભાવ માટે ૧૭.૮૬ લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા. અહીં તેમને રાખવા સહિત ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરાય છે અને બીમાર પશુની સારવાર પણ કરવામાં આવે છે. આ દરમિયાન કેટલાક બીમાર ઢોરના મોત થતા હોય છે પરંતુ જે આંકડાઓ સામે આવ્યા છે તે અત્યંત ચોંકાવનારા છે. આ મામલે હવે રાજનીતિ પણ શરૂ થઈ છે અને વિપક્ષે આક્ષેપ કર્યો છે કે ગાયના નામે મત માગનારા સત્તાધિશો ગાયોના મોત મામલે ભેદી મૌન સેવી રહ્યા છે.

     

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: લોધીકાની કંપનીનો ખાનગી ડેટા એકાઉન્ટન્ટએ હરીફ પેઢીને આપી દીધો

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: શાપર નજીક ગાંજાની ડિલિવરી આપવા આવેલી મહિલા ઝડપાઈ

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: ‘તુ મારી સામે કેમ જુએ છે’ કહી એડવોકેટ પર કાર ચાલકનો હુમલો

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: ધમલપર ગામી પાવર પ્લાન્ટમાંથી ત્રણ હજાર મીટર વાયરની ચોરી

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: મુંજકામા બેકરી ચાલુ નહિ કરવાની ટકોર કરનાર યુવાન પર હુમલો

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: પંચાયતની દીવાલ તૂટી પડતા ખાટકીવાસનું મકાન ધરાશાયી

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પિતાના અવસાન પછીMannara Chopra ખૂબ જ દુઃખી દેખાઈ રહી હતી

    June 17, 2025

    Karun Nair લગભગ આઠ વર્ષ પછી ભારતીય ટીમમાં પાછો ફર્યો છે

    June 17, 2025

    Sophie Devine ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટર સોફી ડિવાઇનએ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

    June 17, 2025

    તંત્રી લેખ…જાતિગત વસ્તી ગણતરી, રાહ જોયા પછી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

    June 17, 2025

    Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી

    June 17, 2025

    Junagadh: પતિ સાથે આડા સબંધ હોવાનું કહેતા યુવતી અને તેના પતિએ મહિલાને ઢીકાપાટુનો માર માર્યો

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પિતાના અવસાન પછીMannara Chopra ખૂબ જ દુઃખી દેખાઈ રહી હતી

    June 17, 2025

    Karun Nair લગભગ આઠ વર્ષ પછી ભારતીય ટીમમાં પાછો ફર્યો છે

    June 17, 2025

    Sophie Devine ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટર સોફી ડિવાઇનએ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.