અગાઉ અકસ્માતમાં પુત્ર ગુમાવનાર પિતા નું રુદન, હવે કુદરતના સહારે જીવી લઈશ.
Jamnagar,તા.24
જામજોધપુર પોલીસ મથક ની હદમાં જામવાડીના પાટીયા પાસે બસમાંથી ઊતરી ઘર તરફ જતા રાજકોટ મિલમાં નોકરી કરતા યુવાનને અજાણી મોટર એ ઠોકરે ચડાવતા ગંભીર ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ મૂળ જામવાડી રહેતા અને રાજકોટમાં મિલમાં નોકરી કરતા તુષારભાઈ રમણીક લાલ ખાટ લેઉંવા પટેલ 26 ગઈકાલે બીમારી સબબ મિલ મથી રજા લઈ ઘેર આરામ કરવા ના ઇરાદે બસમાં બેસીને જામવાળી ગયો હતો અને જામવાડી ના પાટીયે બસમાંથી ઉતરી ઘર તરફ જતો હતો ત્યારે અજાણી મોટરે ઠોકર મારી અકસ્માત ચર્ચા તુષારભાઈ ખાટ ઘટના બેભાન થઈને ઢળી પડ્યો હતો તેને તાત્કાલિક પ્રથમ જામજોધપુર સરકારી હોસ્પિટલ અને ત્યાંથી રાજકોટ સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવતા મોડી રાત્રે ચાલુ સારવાર દરમિયાન તુષારનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવની કરુણતા એ છે કે તુષારના માતાનું વર્ષો પહેલા મૃત્યુ નીપજ્યું હતું. ત્યારબાદ તેના મોટાભાઈનું આકસ્મિક અવસાન થયું હતું વૃદ્ધ પિતા રમણીકભાઈ માટે તુષાર એકમાત્ર આધાર હતો, તુષાર રાજકોટ બહેનને ત્યાં રહી નોકરી કરતો હતો, સિવિલ હોસ્પિટલમાં તુષાર ના પિતા રમણીકભાઈ એ જણાવ્યું હતું કે મારો એકનો એક આધાર હવે રહ્યો નથી.. હું હવે કુદરતના સહારે જીવી લઈશ, લેઉંવા પટેલ પરિવારના રમણીકભાઈ ની જામવાડી ગામે ખેતીની જમીન છે એકના એક પુત્રના અવસાનથી પરિવાર ભાંગી પડ્યો આ અંગે જામજોધપુર પોલીસે તપાસ હાથ ધરી છે