તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધાની પતિની કબુલાત : ક્રાઈમ સહિતના સ્ટાફે ભેદ ઉકેલ્યો
Rajkot,તા.24
રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં થયેલ મહિલાની હત્યાના આરોપી સુધી પહોંચવામાં પોલીસ હજું સુધી અસફળ રહી છે. શનિવારે સાંજે ૦૭:૩૦ વાગ્યે પતિને પાણીપુરી ખાવા જાવ છું કહીં નીકળેલી મહિલાની ઘરથી દોઢ કિમી દૂર વાડી વિસ્તારમાથી લોહીથી લથબથ લાશ મળતાં ચકચાર મચી ગઈ હતી. કાન, આંખ અને માથાના ભાગે તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દિધી હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ગણતરીના દિવસોમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલ તેના પતિની ધરપકડ કરી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ અંગે ભગવતીપરામાં કોપર ગ્રીન સીટી, બ્લોક નં-૧૬, ખાતે સ્નેહાબેન નામની પરણીતાની હત્યા કર્યા અંગેની કોઠારીયા રોડ પર હુડકો ક્વાર્ટરમાં રહેતાં ભાઈ અમીતભાઈ પ્રવીણભાઈ બાવરીયા (ઉ.વ.૨૭) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અજાણ્યાં શખ્સનું નામ આપતાં બી. ડિવિઝન પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. લગ્ન આશરે ત્રણેક વર્ષ પહેલા હિતેષભાઈ આસોડીયા સાથે થયેલ હતા. ત્યારથી બહેન સ્નેહાબેન તથા બનેવી હિતેષભાઈ બન્ને . બહેનને સંતાનમાં બે વર્ષનો એક દિકરો શીવાંશ છે.
તેમજ બનેવી હિતેષભાઈ ગ્રીનલેન્ડ ચોકડીથી આગળ લોખંડની ચોરસી બનાવવાનુ કારખાનુ ધરાવે છે. ફરીયાદીનાં બહેનના બીજા લગ્ન છે, અગાઉ તેમના લગ્ન કોઠારીયા રોડ પરના તેમના ઘરની શેરીમા રહેતા દિપકભાઈ ગુજરાતી (ખાંટ) સાથે તેર વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયેલ હતા. લગ્નના એકાદ વર્ષ બાદ છુટાછેડા થયેલ હતા. ત્યારબાદથી બહેન તેમની સાથે રહેતી હતી.
ગઈ તા.૨૨ ના તે તેમની પત્ની અવની સાથે કોઠારીયા રોડ પર આવેલ ડી-માર્ટમા ખરીદી કરવા માટે ગયેલ હતા તે દરમ્યાન તેમના બહેન અવનીનો ફોન આવેલ કે, સેવુ તારે ત્યા આવી છે ? હિતેષનો ફોન આવ્યો હતો. જેથી યુવાને કહેલ કે, હું હાલ મોલમા છુ ઘરે જઈને વાત કરૂ, બાદમા ઘરે જતા માતાથી જાણવા મળેલ કે, બહેન સેવુ ઘરેથી સાંજના સાડા સાતેક વાગ્યાની આસપાસ પાણીપુરી ખાવા માટે જવાનુ કહી નીકળેલ છે, પરંતુ હજુ સુધી ઘરે પહોંચેલ નથી.જે બાદ તેઓ બહેનના ઘરે પહોંચેલ અને થોડા સમયમા બનેવી પણ ત્યા પહોંચી ગયેલ. થોડો સમય ઘરે બનેવી સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ બહેનને શોધવા આજુબાજુ માટે નીકળેલ તેમજ અલગ-અલગ સી.સી.ટી.વી. ફૂટેજ તપાસેલ જેમા બહેન લાલ કલરના કૂર્તા તેમજ કાળા કલરની લેગીસમા જતી દેખાય છે. જે આધારે બાદમા ભગવતીપરા તેમજ આસપાસના તમામ વિસ્તારોમાં આશરે દોઢેક વાગ્યા સુધી તેણીને શોધેલ, પરંતુ બહેન ક્યાય મળી આવેલ નહી. જેથી રાત્રે બે અઢી વાગ્યાના અરસામા અમો અમારા બનેવીના ઘરેથી છૂટા પડેલ. જે બાદ તેઓ ઘરે જતા રહેલ હતા.
બાદમાં ગઈકાલે સવારના આશરે ૦૯/૫૦ વાગ્યે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક સોશીયલ મીડીયા
ગ્રુપ પર એક સમાચાર વાંચેલ જેમાં વેલનાથપરા વિસ્તારમાં અજાણી યુવતીની લાશ મળી તેવુ લખેલુ હતુ અને સાથે એક મહીલાનો ફોટો પણ આપેલ હતો. જે ફોટો જોતા તેમાં મહીલાએ પહેરેલ કપડા બહેને ગઈકાલે જે કપડા પહેરેલ હતા તેવા જ હોય તેમજ બાંધો જોતા મારી બહેનના બાંધા જેવો જ જણાતો હતો. જેથી બહેનને ઓળખી લીધેલ હતી.
જે બાદ તુરત જ બનેવીને ફોન કરી આ બાબતે જાણ કરી જે જગ્યાએ બનાવ બનેલ છે તે જગ્યાની જાણ થતા સ્થળ ઉપર પહોચેલ. અને ત્યા જઇને જોયેલ તો બહેનની લાશ ભગવતીપરા મેઇન રોડથી વેલનાથ પરા તરફ જવા માટેના કાચા રસ્તા પર મેઇન રોડથી આશરે ૩૦૦ મીટર અંદર કાચા માર્ગ પર માર્ગની બાજુના ભાગે લોહીલોહાણ હાલતમાં પડેલ હતી. બહેનના નાકના ભાગે, આંખની બાજુના ભાગે, કાનના ઉપરના ભાગે તેમજ માથામા ઉપરના ભાગે કોઇ તીક્ષ્ણ હથીયાર વડે ઘા મારી ગંભીર ઈજાઓ કરી હત્યા કરેલ હતી. તેમજ બહેનના શરીર ઉપર કોઈ ઘરેણ હતુ નહી.બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો. એફએસએલ અને ડોગ સ્કોવર્ડની ટીમ સાથે ક્રાઈમ બ્રાન્ચ, ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગણતરીની જ દિવસોમાં હત્યાનોપોલીસે મૃતકના પતિ અને પૂર્વ પતિ સહિતના શકમંદની પૂછતાછ આદરી છે. જેમાં પતિ હિતેશ કાંતિલાલ આસોડિયા તપાસમાં ભાંગી પડતા હત્યા કર્યાની કબુલાત આપતા પોલીસે અટકાયત કરી તેની ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે.

