Morbi, તા.7
મોરબીમાં રહેતી પરિણીતાએ ભરણપોષણ માટે કોર્ટમાં કેસ કર્યો હતો તેના હુકમ મુજબ તે મહિલાને ભરણપોષણ આપવામાં આવતું ન હતું જેથી 1,740 દિવસ જેલ ભોગવવાનો હુકમ મોરબીની કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે.
મોરબીમા રહેતા ધર્મીષ્ઠાબેન તે દેવેન્દ્રભાઈ શામજીભાઇ બારૈયાના ધર્મપત્ની દ્વારા ટંકારામાં રહેતા તેના પતી દેવેન્દ્રભાઈ શામજીભાઇ બારૈયા પર ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવેલ હતી. તે કેસ મોરબીના જ્યુડી. મેજી.ફ.ક.ની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે વળતર પેટે ભરણપોષણ ચૂકવવા આદેશ કરેલ હતો.
જો કે, પતી દેવેન્દ્રભાઈ દ્વારા કોર્ટના હુકમ મુજબની રકમ ચૂકવવામાં કસૂર કરતાં પત્ની દ્વારા ભરણપોષણની રિકવરી માટે અરજી દાખલ કરેલ હતી જે અરજીના અનુસંધાને કોર્ટ દ્વારા પતી દેવેન્દ્રભાઈને પ્રથમ અરજીના આધારે કુલ 330 દિવસ જેલમાં રહેવાની સજા ફાર્મવવામાં આવેલ ત્યાર બાદ બીજી અરજીના કામે દેવેન્દ્રભાઈને કુલ 1740 દિવસ જેલમાં રહેવાની સજા અને ત્રીજી અરજીના આધારે દેવેન્દ્રભાઈને કુલ 330 દિવસ જેલમાં રહેવાની સજા ફાર્મવવામાં આવેલ સાથે સજા દરમ્યાન આરોપી દેવેન્દ્રભાઈને જેલમાં રહી કામ કરવું પડશે તથા તે કામ કરી મેળવેલ વેતન બાકી લેણા પેટે જમા કરવાનો આદેશ કરવામાં આવેલ છે. આ ગુનાના કામે જીલ્લાના એડવોકેટ નરેન્દ્રસિહ ઝાલા તથા યુવા એડવોકેટ મયંક બી. કાસુન્દ્રા દ્વારા ધારદાર દલીલ કરવામાં આવેલ હતી.

