Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    22 સપ્ટેમ્બરથી વાહન પર લાગતો સેસ સમાપ્ત થઈ જશે

    September 10, 2025

    વજન ઉતારવાની દવા સસ્તી થશે? WHOએ આવશ્યક દવાના લીસ્ટમાં સામેલ કરી

    September 10, 2025

    Junagadh ની હોસ્ટેલમાં તપાસ બાદ કમિટીનો ૧૦ પાનાનો રિપોર્ટ કલેકટરને સોંપાયો

    September 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 22 સપ્ટેમ્બરથી વાહન પર લાગતો સેસ સમાપ્ત થઈ જશે
    • વજન ઉતારવાની દવા સસ્તી થશે? WHOએ આવશ્યક દવાના લીસ્ટમાં સામેલ કરી
    • Junagadh ની હોસ્ટેલમાં તપાસ બાદ કમિટીનો ૧૦ પાનાનો રિપોર્ટ કલેકટરને સોંપાયો
    • Saurashtra University માં ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસનો દેખાવ
    • દાંડી બાદ હવે Navsari માંથી મળ્યું બિનવારસી કન્ટેનર
    • Rajkot: બે સ્થળોએ જુગારના દરોડા, 8 શખ્સો ઝડપાયા
    • Rajkot: ઓફિસમાંથી શરાબની 86 બોટલ સાથે શેરબ્રોકર ઝડપાયો
    • Rajula ના સફાઈ કામદારોનું ઉગ્ર આંદોલન, કાયમી નોકરી આપવા માગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»આવકવેરાનું Return ફાઈલ કર્યા પછી ઘ્યાન નહિ રાખો તો ફસાશો
    વ્યાપાર

    આવકવેરાનું Return ફાઈલ કર્યા પછી ઘ્યાન નહિ રાખો તો ફસાશો

    Vikram RavalBy Vikram RavalAugust 6, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.06

    આવકવેરાના રિટર્ન ફાઈલ કર્યા પછી બેન્ગ્લુરુ સીપીસી દ્વારા રિટર્નને ડિફેક્ટિવ એટલે કે ક્ષતિયુક્ત જાહેર કરવામાં આવે તે પછી તેમાં કરદાતા તરફથી પંદર જ દિવસમાં સુધારો ન કરવામાં આવે તો કરદાતાનું રિટર્ન જ ઇનવેલિડ થઈ જાય છે. આ અંગેની જાણકારી માત્ર કરદાતાના ઈ-મેઈલ પર જ મોકલવામાં આવે છે. તેથી સંખ્યાબંધ કરદાતાઓના તે ઘ્યાનમાં આવતું નથી અને તેમના રિટર્ન ઇનવેલિડ ઠરી રહ્યા છે.

    15 દિવસમાં જવાબ ન મળે તો રિટર્ન ઇનવેલિડ થઈ જાય

    કરદાતાને ક્ષતિયુક્ત રિટર્નનો ઈ-મેઈલ કર્યા પછી સામાન્ય રીતે પંદર દિવસનો સમય આપવામાં આવે છે. પરંતુ પંદર દિવસમાં કરદાતા તરફથી પ્રતિભાવ ન મળે તો તેના રિટર્નને ઇનવેલિડ-ગેરકાયદેસર ગણી લેવામાં આવે છે. આ મેઈલ જોવો જોઈએ અથવા તો કરદાતાએ લોગ ઇન કરીને તે ચેક કરી લેવાનું રહે છે. આ અંગે ડિપાર્ટમેન્ટ તરફથી અન્ય કોઈપણ રીતે જાણકારી આપવામાં આવતી નથી. અન્યથા તેમનું રિટર્ન ફાઈલ થયું જ નથી તેવું માની લેવામાં આવે છે.

    કરદાતાને રિફંડ મળવાપાત્ર છે કે નહિ તે નક્કી કરવામાં આવે છે 

    આવકવેરાનું રિટર્ન ફાઈલ કર્યા પછી થતાં ઇ-વેરિફિકેશન બાદ આવકવેરા ખાતા પાસેના કરદાતાના ઉપલબ્ધ ડેટાને આધારે કરદાતાએ વેરા પેટે વધારાની રકમ જમા કરાવવાની આવે છે કે કેમ તે નક્કી કરીને કે પછી કરદાતાને રિફંડ મળવાપાત્ર છે કે નહિ તે નક્કી કરી કરે છે. તેમ જ કરદાતાના રિટર્નમાં અન્ય કોઈ ખામી છે કે નહિ તે નિશ્ચિત કરવામાં આવે છે.

    આ સંજોગોમાં રિટર્ન ક્ષતિયુક્ત બની જાય 
    કરદાતાના 26 એએસની, એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટની, ટીઆઈએસની વિગતો મિસમેચ થતી હોય તો આવકવેરા અધિકારી તેને ક્ષતિયુક્ત જાહેર કરી દે છે. 26 એએસની કુલ આવક સાથે તમારા રિટર્નમાં દર્શાવેલી આવક મેળ ન ખાતી હોય તો પણ તે રિટર્નને ક્ષતિયુક્ત રિટર્ન ગણી લેવામાં આવે છે.
     

    ડિવિડંડની કે પછી ટીડીએસની રકમ કપાયાની નોંધ જ રિટર્નમાં કરવામાં ન આવી હોય જેવી ક્ષતિઓ આવકવેરા અધિકારીઓ દર્શાવે છે. ઇન્કમ ખોટા હેડ હેઠળ દર્શાવી હોય તો તેવા સંજોગોમાં પણ રિટર્ન ક્ષતિયુક્ત બની જાય છે. ખોટા ડિડક્શન ક્લેઈમ કર્યા કે ઓડિટ રિપોર્ટ સાથે રજૂ કરવાનો રહી ગયો હોય તો પણ રિટર્ન ક્ષતિયુક્ત ગણાઈ જાય છે. કુલ રિસિપ્ટ કરતાં વધારે ટીડીએસ ક્લેઈમ કર્યો હોવાનું જણાય તો પણ રિટર્ન ક્ષતિયુક્ત ગણાય છે.

    ક્ષતિનો જવાબ પંદર દિવસમાં ન આપવામાં આવે તો રિટર્ન ઇનવેલિડ માનવામાં આવે છે 

    કરદાતાને મેઈલ પર દર્શાવવામાં આવેલી ઉપરોક્ત ક્ષતિનો જવાબ પંદર દિવસમાં ન આપી શકે તો કરદાતાનું રિટર્ન ઇનવેલિડ ઠરી જાય છે એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરીમ લાખાણીનું કહેવું છે. રિટર્ન ફાઈલ ન કર્યાનું ગણાઈ જાય અને ડિસેમ્બર સુધીમાં રિવાઈઝ રિટર્ન ફાઈલ ન થાય તો કરદાતાએ રિટર્ન ન ભરવા માટે પેનલ્ટી થાય છે. કરદાતાને કોઈ રિફંડ મળવા પાત્ર હોય તો તે રિફંડ પણ નથી મળતું. તેમાંય વળી લૉસનું રિટર્ન ફાઈલ કરવામાં આવ્યું હોય તો લૉસ કેરી ફોરવર્ડ પણ કરી શકાતો નથી.

    આ પ્રકારના ક્ષતિયુક્ત રિટર્ન માટે અન્ય કોઈપણ રીતે સરકાર તરફથી કરદાતાને કોમ્યુનિકેટ કરવામાં આવતું જ નથી. કરદાતા તે મેઈલ જોઈ લે તો તેનો જવાબ પાઠવીને રિટર્નમાં સુધારો કરી શકે છે. તેમ જ રિટર્નમાં સુધારો કરવાની કેમ જરૂર નથી તેનો જવાબ પણ આપી શકે છે.

    આવકવેરાની સાઈટ પર લોગ ઈન કરીને ચકાસણી કરતા રહો

    આવકવેરાનું રિટર્ન ફાઈલ કર્યા પછી આવકવેરા વિભાગ દ્વારા ઈ-મેઈલ મળે તો તેને ગંભીરતાથી લઈને તમે પોતે તેનો જવાબ આપવાની કે પછી તમારા ટેક્સ કન્સલ્ટન્ટનો અભિપ્રાય લઈને તમે તેનો 15 દિવસમાં જવાબ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ. પંદર દિવસમાં જવાબ આપશે તો તેને રિવાઈઝ રિટર્ન ફાઈલ કરવાની તક મળશે. મોટાભાગના કરદાતાઓ મેઈલ પર આવેલા મેસેજને જોતાં નથી. તેથી એક બે વર્ષે તેમને ખબર પડે છે કે તેમનું રિટર્ન તો ફાઈલ થયું જ નથી. કારણ કે આવકવેરા અધિકારી જવાબ ન મળતા તે રિટર્નને ગેરકાયદે ઠેરવી દે છે.

    રિટર્નની ચકાસણી અને પ્રોસેસ કઈ રીતે થાય

    – કરદાતા રિટર્ન ફાઈલ કરે

    – ઈ-વેરિફિકેશન કરતા રિટર્ન અપલોડ થયાનું કન્ફર્મ થઈ જશે

    – બેન્ગ્લુરુના સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટરના અધિકારી તેમાં કોઈ ક્ષતિ છે કે નહિ તેની ચકાસણી કરશે

    – ક્ષતિ જણાતા કરદાતાને ઈ-મેઈલ મોકલી દેશ

    – ઈ-મેઈલ કર્યા પછી પંદર દિવસ જવાબ આપવાની તક આપવામાં આવશે

    – ઈ-મેઈલ સિવાય કોઈપણ માઘ્યમથી મેસેજ મોકલવામાં આવતા નથી

    – ઈ-મેઈલનો જવાબ પંદર દિવસમાં નહિ આપવામાં આવે તો તમે રિટર્ન ફાઈલ નથી કર્યું તેમ નક્કી કરી દેવામાં આવશે.

    Income-Tax-Return processing-message
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Future 24808 points very important level..!!!

    September 9, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    September 9, 2025
    વ્યાપાર

    Gold ના રેકોર્ડ ભાવની ઈફેકટ! ડિમાંડમાં 28 ટકાનો મોટો ઘટાડો

    September 9, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    September 8, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    September 8, 2025
    રાષ્ટ્રીય

    કોર્ટે Adani Enterprises વિરુદ્ધ કથિત અપમાનજનક સામગ્રી દૂર કરવાનો આદેશ આપ્યો

    September 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    22 સપ્ટેમ્બરથી વાહન પર લાગતો સેસ સમાપ્ત થઈ જશે

    September 10, 2025

    વજન ઉતારવાની દવા સસ્તી થશે? WHOએ આવશ્યક દવાના લીસ્ટમાં સામેલ કરી

    September 10, 2025

    Junagadh ની હોસ્ટેલમાં તપાસ બાદ કમિટીનો ૧૦ પાનાનો રિપોર્ટ કલેકટરને સોંપાયો

    September 9, 2025

    Saurashtra University માં ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસનો દેખાવ

    September 9, 2025

    દાંડી બાદ હવે Navsari માંથી મળ્યું બિનવારસી કન્ટેનર

    September 9, 2025

    Rajkot: બે સ્થળોએ જુગારના દરોડા, 8 શખ્સો ઝડપાયા

    September 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    22 સપ્ટેમ્બરથી વાહન પર લાગતો સેસ સમાપ્ત થઈ જશે

    September 10, 2025

    વજન ઉતારવાની દવા સસ્તી થશે? WHOએ આવશ્યક દવાના લીસ્ટમાં સામેલ કરી

    September 10, 2025

    Junagadh ની હોસ્ટેલમાં તપાસ બાદ કમિટીનો ૧૦ પાનાનો રિપોર્ટ કલેકટરને સોંપાયો

    September 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.