Mumbai,તા.26
ચેન્નઈ સુપર કિંગ્સમાં પોતાની કેપ્ટનશીપમાં 5 વખત ચેમ્પિયન બનાવી ચુકેલા એમએસ ધોનીએ ઈમ્પેક્ટ પ્લેટરના નિયમને લઈને એક નિવેદન આપ્યું છે. જેના કારણે ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. હકીકતમાં જ્યારથી આ નિયમ લાગુ કરવામાં આવ્યો આ ત્યારથી વિવાદ ચાલી રહ્યો છે. કોઈ તેના પક્ષમાં છે તો કેટલાક માને છે કે, ઓલરાઉન્ડર ખેલાડીઓને નુકસાન થયું છે. ધોનીનું માનવું છે કે, IPLમાં કોઈ વધારાના ખેલાડીના રમવાથી મોટા સ્કોર બનતા નથી, પરંતુ ખેલાડીઓની બદલાયેલી માનસિકતાને કારણે છે. ધોનીનું માનવું છે કે, ઇમ્પેક્ટ પ્લેયર નિયમથી તેમને કોઈ ફાયદો થયો નથી. તે પોતાને ઈમ્પેક્ટ પ્લેટર માનતો પણ નથી.
જિયો-હોટસ્ટાર પર ‘ધ એમએસડી એક્સપિરિયન્સ’ પર વાત કરતાં એમએસ ધોનીએ કહ્યું, ‘જ્યારે ઇમ્પેક્ટ પ્લેયર નિયમ લાગુ કરવામાં આવ્યો હતો, ત્યારે મને લાગ્યું કે તે સમયે આ નિયમની કોઈ જરૂર નથી. આ નિયમ ક્યારેક મને મદદ કરે છે, પરંતુ મોટાભાગે એવુ નથી હોતું. હું હજુ પણ વિકેટકીપિંગ કરું છું તેથી હું ઇમ્પેક્ટ પ્લેયર નથી. મારે ફિલ્ડિંગમાં પણ આવવું પડશે.’
એમએસ ધોનીનું એવું પણ માનવું છે કે, આઈપીએલમાં હવે મોટા સ્કોર બની રહ્યા છે અને તેનું કારણ ઈમ્પેક્ટ પ્લેયર નિયમ નથી. ધોનીએ કહ્યું કે, ‘કેટલાક લોકોનું માનવું છે કે ઇમ્પેક્ટ પ્લેયર નિયમને કારણે IPLમાં મોટા સ્કોર બની રહ્યા છે. પરંતુ મારા મતે ખેલાડીઓની રિલેક્સ માઈન્ડસેટ અને પરિસ્થિતિઓને કારણે આ થઈ રહ્યું છે. એક વધારાનો બેટર આટલા રન બનાવી રહ્યો નથી, પરંતુ તે તેની માનસિકતાના કારણે છે. ટીમોને આરામ છે કે, તેમની પાસે એક એક વધારાનો બેટર છે. તેથી બેટરો વધુ સાવધાનીપૂર્વક રમી રહ્યા છે. તેની હાજરી આત્મવિશ્વાસ વધારે છે કારણ કે એવું નથી કે બધા 4-5 બેટરોને રમવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે.’
ઇમ્પેક્ટ પ્લેયર નિયમ હેઠળ એક કેપ્ટન પ્લેઇંગ 11 સાથે 5 અવેજી ખેલાડીઓની પસંદગી કરે છે. મેચ દરમિયાન, કેપ્ટન પ્લેઇંગ 11 માંથી એક ખેલાડીની જગ્યાએ પ્લેઇંગ 11 માં અવેજી ખેલાડીઓમાંથી એકનો સમાવેશ કરી શકે છે. કેપ્ટન બોલરને આઉટ કરીને બેટરને અને બેટરને આઉટ કરીને બોલરને પણ લાવી શકે છે.