Madhya-Pradesh,તા,27
ભારતમાં ઘણા પ્રાચીન અને રહસ્યમયી મંદિર છે. જેના કારણે ભારતને મંદિરોનો દેશ પણ કહેવામાં આવે છે. આ મંદિરોમાં ઘટનારી રહસ્યમયી ઘટનાઓની ગુત્થી આજ સુધી કોઈ પણ ઉકેલી શક્યા નથી પરંતુ આ અનોખા રહસ્યોના કારણે આ મંદિર વિશ્વભરમાં પ્રસિદ્ધ છે અને અહીં દેશ-વિદેશથી લોકો દર્શન કરવા માટે આવતાં રહે છે. આવું જ એક ચમત્કારી અને રહસ્યમયી મંદિર છે જ્યાં વર્ષોથી માત્ર પાણીથી જ દીવો પ્રગટાવવામાં આવે છે. તમારા મનમાં પણ એ સવાલ ઉઠી રહ્યો હશે કે કેવી રીતે શક્ય હોઈ શકે છે પરંતુ એવું થાય છે અને આ ચમત્કારી ઘટનાને જોવા માટે દરરોજ ઘણા ભક્ત આ મંદિરમાં આવે છે.
ક્યાં છે આ મંદિર?
આ મંદિર મધ્ય પ્રદેશના શાજાપુર જિલ્લામાં કાલીસિંઘ નદીના કિનારે આગર-માલવાના નલખેડા ગામથી નજીક 15 કિમી દૂર ગાડિયા ગામ નજીક સ્થિત છે. આ મંદિર ગઢિયા ઘાટ વાળા માતાજીના નામથી જાણીતું છે.
પાણીથી પ્રજ્જવલિત થાય છે દીવો
આ મંદિરમાં વર્ષોથી એક મહાજ્યોત પાણીથી પ્રજ્જવલિત થઈ રહી છે. આ માતાની સામે પ્રગટાવેલો દીવો કોઈ તેલ, ઘી કે ઈંધણ વિના પ્રગટી રહ્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ દીવો મંદિરની નજીક વહેનારી કાલીસિંઘ નદીના પાણીથી પ્રગટે છે. આ મંદિરમાં મૂકેલા દીવામાં જ્યારે પાણી નાખવામાં આવે છે તો તે ચીકણા તરલ પદાર્થમાં બદલાઈ જાય છે અને દીવો પ્રગટે છે.
માતાજીએ આપ્યો આ આદેશ
કહેવાય છે કે પહેલા આ મંદિરનો દીવો અન્ય મંદિરોની જેમ તેલ અને ઘી થી પ્રગટાવવામાં આવતો હતો પરંતુ માતાજીએ પૂજારીને સ્વપ્નમાં દર્શન આપ્યા અને નદીના પાણીના દીવો પ્રગટાવવાનો આદેશ આપ્યો. જે બાદ પૂજારીએ એવું જ કર્યું અને એક દિવસ નદીનું પાણી દીવામાં ભરીને વાટને પ્રગટાવી, તો જ્યોત પ્રગટાવા લાગી ત્યારથી જ મંદિરમાં પાણીથી દીવો પ્રગટાવવામાં આવે છે. જ્યારે આ ચમત્કાર વિશે લોકોને જાણ થઈ ત્યારથી ઘણા લોકો દરરોજ આ ચમત્કારને જોવા માટે આ મંદિરમાં આવે છે.
ચોમાસામાં નથી પ્રગટાવાતો દીવો
આ મંદિરમાં ચોમાસાની સિઝનમાં દીવો પ્રગટાવાતો નથી. ચોમાસા દરમિયાન કાલીસિંઘ નદીનું જળસ્તર વધવાથી આ મંદિર પાણીમાં ડૂબી જાય છે. જેના કારણે અહીં પૂજા કરવી શક્ય હોતી નથી. તે બાદ જેવું જ મંદિરથી પાણી નીચે જાય છે અને શારદીય નવરાત્રિની શરૂઆત થાય છે. ત્યારે મંદિરમાં ફરીથી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. જે આગામી વર્ષે વર્ષાકાળ સુધી પ્રગટે છે.