Canada,તા.07
આ માસમાં કેનેડામાં યોજાનારી જી-7 દેશોની શિખર પરિષદમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવાના નિર્ણયનો બચાવ કરતા કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ જવાબ આપતા કહ્યું કે ભારત એ વિશ્વનુ પાંચમા નંબરનું સૌથી મોટુ અર્થતંત્ર છે તેથી તેને નજર અંદાજ કરી શકાય નહી.
આ માસમાં તા.15થી17 જૂનના કેનેડાના અલ્બટામાં જી-7 દેશોના રાષ્ટ્રવડાઓની બેઠક મળનાર છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત વિશ્વના સાત ટોપના પશ્ચિમી રાષ્ટ્રવડાઓ ઉપસ્થિત રહેશે.
શ્રી મોદીને દર બેઠક સમયે આમંત્રણ મળે છે પણ ભારત-કેનેડા વચ્ચેના ડિપ્લોમેટીક તનાવના કારણે આ વર્ષની બેઠકમાં વડાપ્રધાન મોદીને આમંત્રણ અંગે સસ્પેન્સ સર્જાયો હતો પણ ગઈકાલે જ કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ ખુદે વડાપ્રધાન શ્રી મોદીને ફોન કરીને આમંત્રણ આપ્યુ હતું અને શ્રી મોદીએ પણ તે સ્વીકારી લીધુ છે.
કેનેડામાં ખાલીસ્તાની તરફી અને કેટલાક કટ્ટરવાદી સંગઠનોએ શ્રી મોદીને આમંત્રણનો વિરોધ કર્યો તેને ફગાવતા કેનેડાના વડાપ્રધાન એ કેટલાક દેશોએ સાથે રહેવું જરૂરી છે. ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. તેઓએ નિજજર હત્યા અંગેના પ્રશ્ર્નનો જવાબ આપવા ઈન્કાર કરી દીધો હતો અને કહ્યું કે કેનેડામાં કાનૂની પ્રક્રિયા પાંચમી મોટી ઈકોનોમી છે.
વિશ્વનો સૌથી વધુ વસતિ ધરાવતો દેશ છે અને તે સપ્લાય ચેઈનનો પણ દેશ છે તેથી ચાલી રહી છે અને તેથી તેના પર ટિપ્પણી કરવી યોગ્ય ગણાશે નહી. તેઓએ કહ્યું કે ભારત એ વિશ્વની ઉર્જા આર્ટિફીશ્યલ અને મહત્વના ખનીજો વિ. મુદે ચર્ચા કરવા માટે આમંત્રણ અપાયું છે. આમ ઓપરેશન સિંદુર બાદ વડાપ્રધાન શ્રી મોદીના પ્રથમ વિદેશ પ્રવાસ હશે અને તેઓ વિશ્વના શક્તિશાળી દેશોના રાષ્ટ્રવડાઓને મળશે તે મહત્વનું છે.