આગામી અરજીની તારીખની જાણ મેસેજ દ્વારા કરવામાં આવશે
Bangladesh .તા.8
જેમ જેમ બાંગ્લાદેશમાં હિંસા વધી રહી છે, ત્યારે દેશમાં તમામ ભારતીય વિઝા કેન્દ્રો આગામી સૂચના સુધી અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવ્યા છે . ઇન્ડિયન વિઝા એપ્લિકેશન સેન્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
તેની વેબસાઇટ પર, ભારતીય વિઝા એપ્લિકેશન સેન્ટરે અરજદારોને સલાહ આપી હતી કે, તેઓ વિઝાની તારીખ અંગેની જાહેરાત બાદ તેમના પાસપોર્ટ એકત્રિત કરી શકે છે. તેઓએ કહ્યું કે તેઓ મેસેજ દ્વારા આગામી તારીખ વિશે જાણ કરવામાં આવશે.
નોટિસમાં લખવામાં આવ્યું છે કે, “અસ્થિર પરિસ્થિતિને કારણે તમામ ભારતીય વિઝા અરજી કેન્દ્રો આગળની સૂચના સુધી બંધ રહેશે. આગામી અરજીની તારીખ મેસેજ દ્વારા જણાવવામાં આવશે અને આગામી કાર્યકારી દિવસે પાસપોર્ટ લેવા આવવાનું રહેશે.
આ નિર્ણય ઢાકાના હાઈ કમિશનમાં તૈનાત 190 ભારતીય કર્મચારીઓ અને તેમના પરિવારોને બહાર કાઢવાનાં પગલે લેવામાં આવ્યો છે.