Mumbai,તા.12
ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ અધવચ્ચેથી એક અઠવાડિયા માટે મુલત્વી કરવાનો નિર્ણય કર્યો હતો. 8મી મે ના ઉત્તર તથા પશ્વિમ ભારતના સરહદી શહેરોમાં પાકિસ્તાન તરફથી ડ્રોન હુમલા સહિત સંઘર્ષને કારણે ધર્મશાળા ખાતે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલનો મેચ અધવચ્ચે બંધ કરી દેવામાં આવ્યો હતો.
બન્ને ટીમને વનડે ભારત રેલ દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા હતા. આ સાથે ભયનો વાતાવરણ લાગતા અનેક વિદેશી ખેલાડીઓ પરત પોતાના દેશે જતા રહ્યા હતા.
હવે શનિવારે યુદ્ધવિરામની જાહેરાત થતા બન્ને દેશ વચ્ચે બધું થાળે પડ્યું હોય તેવી સ્થિતિ લાગે છે. રવિવારે આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની મિટિંગ મળી હતી જેમાં નિર્ણય લેવાયો છે કે હવે આ અઠવાડિયામાં ફરી આઇપીએલ શરૂ થશે.
ઇન્ડિયન પ્રીમિયર લીગના બાકી રહેલા મેચ હવે ગુરુવાર થી અથવા શુક્રવાર થી શરૂ થશે. હાલની સ્થિતિ જોતા તે લખનઉ, હૈદરાબાદ, બેંગલુરુ અને ચેન્નાઈ ખાતે મેચ યોજાઈ તેવી શક્યતા છે.
સરહદ પર જેટલા રાજ્યો છે અને સંવેદનશીલ ગણાય છે ત્યાં હાલ મેચ નહીં યોજવા નિર્ણય લેવામાં આવ્યો છે તેવું સૂત્રો પાસે થી જાણવા મળે છે. નિર્ધારિત શિડ્યુલમાં ફાઇનલ મેચ 25 મેના રોજ કોલકતામાં રમાવાનો હતો.
જ્યારે હવે એક સપ્તાહ બંધ રહેતા ફાઈનલ મેચ 1 જૂનના રોજ અમદાવાદમાં રમાઈ શકે છે. તમામ ટીમોને તેમના વિદેશી પ્લેયરોને પાછા બોલાવવા માટે કહી દીધું છે. હવે બાકી રહેલા મેચ પૂરા કરી અને આઇપીએલ રમાશે.
ટાઇટન્સે ફરી પ્રેક્ટિસ શરૂ કરી
ગુજરાત ટાઇટન્સે રવિવારે સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પોતાનું પહેલું તાલીમ સત્ર યોજ્યું. તેમના ફક્ત બે વિદેશી ખેલાડીઓ, જોસ બટલર અને ગેરાલ્ડ કોટ્ઝી, દેશ છોડીને ગયા છે.
પોન્ટિંગ ફ્લાઇટમાં ઑસ્ટ્રેલિયા જતો હતો ત્યાં યુદ્ધવિરામની જાહેરાત થઈ
પંજાબ કિંગ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ અને સહાયક કોચ બ્રેડ હેડિન પણ ભારતમાં છે. “યુદ્ધવિરામની જાહેરાત અમલમાં આવી ત્યારે પોન્ટિંગની ફ્લાઇટ ઘરે જવા માટે ઉડાન ભરવાની હતી. તેમણે ઉતરવાનું પસંદ કર્યું,” પીબીકેએસ ટીમના એક અધિકારીએ જણાવ્યું.
મુખ્ય કોચે ફ્રેન્ચાઇઝના અન્ય ફ્લાઇટમાં રહેલા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને શાંત પાડ્યા, જેઓ પરિસ્થિતિ અંગે સ્પષ્ટપણે ચિંતિત હતા. માર્કસ સ્ટોઇનિસ, એરોન હાર્ડી અને ઝેવિયર બાર્ટલેટ ઘરે પાછા ફર્યા છે. દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર માર્કો જેન્સન દુબઈમાં કેમ્પિંગ કરી રહ્યા છે અને પાછા ફરવામાં વધુ સમય લાગશે નહીં.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વાળા પ્લેયર સંભવિત નહીં રમે
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાના કેટલાક ખેલાડીઓ, જેમને 11 જૂનથી લોર્ડ્સમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં રમવાની અપેક્ષા છે, તેઓ પાછા ફરી શકશે નહીં અથવા તેમની ટીમના સમગ્ર ફિક્સ્ચર માટે રમી શકશે નહીં.
આરસીબીના જોશ હેઝલવુડ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેમને મોટી ફાઇનલ માટે સાચવવા માંગે છે. દક્ષિણ આફ્રિકા 3 જૂને ઝિમ્બાબ્વે સામે ટેસ્ટ રમવાનું છે જે WTC ફાઇનલ માટે પ્રેક્ટિસ-અપ તરીકે કામ કરશે.