Jamnagar,તા.23
ઓપરેશન સિંદૂરની સફળતા અને માઁ ભારતી ની રક્ષા કરતા સૈનિકો ના શોર્ય શક્તિ ને બિરદાવવા માટે જામનગર મહાનગર પાલિકા ના વોર્ડ નં ૯ ની તિરંગા યાત્રા યોજાઈ હતી.
ભારતીય સેના દ્વારા “ઓપરેશન સિંદૂર”ના વિજયને વંદન અને આપણા વીર જવાનો ના શોર્ય ને બિરદાવવામાટે આયોજિત વિશાળ તિરંગા યાત્રા (બાઈક રેલીમાં) માં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન આકાશભાઈ બારડ, વર્તમાન સભ્ય બીમલભાઈ સોનછાત્રા, વોર્ડ નંબર ૯ ના કોર્પોરેટર કુસુમબેન પંડ્યા, ધર્મિનાબેન સોઢા, અને ધીરેનભાઈ મોનાણી, ઉપરાંત ઇલેક્ટ્રોનિક મીડિયા સેલના મૃગેશ ભાઈ દવે, તથા વોર્ડ નંબર ૯ ના પ્રમુખ અને અન્ય હોદ્દેદારો, કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા.
જે તિરંગા યાત્રા ચાંદી બજાર સર્કલ થી પ્રારંભ થઈ હતી, અને વોર્ડ નંબર ૯ ના જુદા જુદા વિસ્તારમાં પરિભ્રમણ કર્યું હતું.