Jerusalem,તા.16
ઈરાનનાં પ્રચંડ મિસાઈલ હુમલાથી ઈઝરાયેલમાં પણ વ્યાપક નુકશાની છે.ઈઝરાયેલનાં હાઈફા બંદરનું સંચાલન ભારતીય ઉદ્યોગપતિ અદાણી ગ્રુપ હસ્તક છે જયાં પણ ઈરાને બેલાસ્ટીક મિસાઈલો ઝીંકી હતી. સદનસીબે કોઈ ખાસ નુકશાન થયુ નથી અને બંદર પરનું પરિવહન સહીતની કામગીરી કોઈપણ જાતનાં વિક્ષેપ વિના ચાલુ જ છે.
ગત સપ્તાહમાં ઈઝરાયેલે ઈરાન પર હાઈફાપોર્ટ તથા આસપાસમાં તેલ રીફાઈનરીઓને નિશાન બનાવતા હુમલા કર્યા હતા. પોર્ટ પર રાસાયણીક ટર્મીનલમાં શાર્પનેલ પડયા હતા. અને તેલ રીફાઈનરીઓમાં પણ હથીયારો ત્રાટકયા હતા છતાં કોઈ મોટુ નુકશાન નથી.