Jammu And Kashmir,તા.09
કેન્દ્રીય સામાજિક ન્યાય અને આધિકારિક રાજ્ય મંત્રી રામદાસ આઠવલે કહ્યું છે કે કેન્દ્ર સરકાર આ વર્ષે ઓક્ટોબર મહિના પહેલા જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી શકે છે. મહારાષ્ટ્ર, ઝારખંડ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી ઓક્ટોબર પહેલા યોજાવાની છે. આ સ્થિતિમાં લાગી રહ્યું છે કે, જમ્મુ-કાશ્મીર રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત થઈ શકે છે અને ઓક્ટોબર મહિનામાં ત્યાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ શકે છે.
જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સાથે શ્રીનગરમાં થયેલી બેઠક દરમિયાન આઠવલેએ કહ્યું કે, કલમ 370 હટાવ્યા બાદ અહીં પ્રવાસનનો વિકાસ થયો છે. વિદેશીઓ સહિત 2.11 કરોડથી વધુ પ્રવાસીઓ અહીં આવ્યા છે. લોકો હવે કાશ્મીર આવવાથી ડરતા નથી. એલજીએ મને કહ્યું છે કે કેટલીક અપ્રિય ઘટનાઓ વચ્ચે હવે શાંતિ સ્થાપિત થઇ રહી છે.