Jamnagar તા.25
જામનગર માં રોગચાળો સતત વકરી રહ્યો છે. તેમાં ખાસ કરી ને તાવ, શરદી, ઉધરસ, ડેન્ગ્યૂ અને ન્યુમોનિયા ના કેસો વધી રહ્યા છે. જેમાં પણ હવે બાળકો ની સંખ્યા વિશેષ રહેતી હોવા થી વધારા નો એક વોર્ડ બાળકો માટે શરૂ કરવા મા આવ્યો છે. જામનગર માં બીમારી નું પ્રમાણ સતત વધી રહ્યું છે. ખાસ કરીને જી.જી. હોસ્પિટલમાં ખાટલા ખૂટી પડે તેવી સ્થિતિ જોવા મળે છે. તેમાં પણ બાળકો, નવજાત શિશુ માં ન્યુમોનિયા, ડેન્ગ્યૂ, તાવ, શરદી, ઉધરસ નું વિશેષ પ્રમાણ જોવા મળે છે. મોટી ઉંમર ના એટલે કે પુખ્ત વય માં દર્દીઓની સંખ્યા પખવાડિયા માં ૩૦૦ થી વધુ નોંધાઈ છે, તો બાળકો ના પાંચ વોર્ડમાં ગત્ તા. ૧૮ ની સ્થિતિએ ર૭૦ બેડની ક્ષમતા સામે ૩૬૯ બાળકો સારવારમાં હતાં. એટલે કે બેડની ક્ષમતા કરતા દોઢી સંખ્યામાં બાળકોને સારવાર આપવામાં આવી રહી છે . આથી ચાલુ સપ્તાહ માં બાળકો માટે નાં વધારા ના વોર્ડ શરૂ કરવા ની ફરજ પડી છે.