Jamnagar ,તા.30
જામનગરના રણજીત સાગર રોડ પરથી લાખોટા તળાવમાં આવતી પાણીની કેનાલ કે જેમાં ઉદ્યોગ ગ્રહો દ્વારા પ્રદૂષણયુક્ત પ્રવાહી છોડવામાં આવે છે, જેના કારણે તળાવમાં આવતી કેનાલનું પાણી પ્રદૂષિત બની જાય છે. આથી લોકો તેમજ જળચર પ્રાણીઓના આરોગ્ય સાથે જોખમ તોડાઈ રહ્યું છે. જે મામલે જામનગર મહાનગરપાલિકાના તંત્ર તથા પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાકીદે યોગ્ય કરવા માંગ ઉઠી છે.
રણજીત સાગર રોડ પરથી આવતી પાણીની કેનાલ, કે જેમાં દરેડ આસપાસના કેટલાક ઉદ્યોગો દ્વારા પોતાના કારખાનાઓમાંથી કેમિકલ યુક્ત પાણી કેનાલમાં ઠાલવી દેવામાં આવે છે. જેના કારણે કેનાલ અત્યંત પ્રદૂષિત બની છે, અને તેમાં કેમિકલ પ્રવાહીના ફીણ જોવા મળી રહ્યા છે.
ઉપરોક્ત કેનાલ કે જે છેક દરેડથી જામનગર સુધી આવે છે, જેમાં પાણી ભરેલા રહેતા હોવાથી આસપાસના સમગ્ર વિસ્તારની સોસાયટીઓના પાણીના તળ સાજા રહેતા હોય છે, પરંતુ તેમાં કેમિકલ ભળી જતું હોવાથી પાણી અત્યંત પ્રદૂષિત બન્યું છે, અને લોકોના આરોગ્ય પર જોખમ તોડાઈ રહ્યું છે.