Jamnagarતા.૨૧
જામનગરમાં સુભાષ શાક મારકેટ વિસ્તારમાં ચાની રેકડી ચલાવતા મેમણ વેપારી યુવાન પર ચા નહીં આપવાના પ્રશ્ને હંગામો કરી છરી વડે હુમલો કરી દીધો હોવાથી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે, અને ટાંકા લેવા પડ્યા છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સુભાસ શાક માર્કેટ વિસ્તારમાં ચા ની રેકડી ચલાવતા મોહીનુંદિન યુનુશભાઈ નામના મેમણ વેપારીએ પોતાના ઉપર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે રંગુનવાલા હોસ્પિટલ પાસે રહેતા શાહુ હનીફભાઈ શેખા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપીએ ગઈકાલે ફરિયાદી વેપારી યુવાન સાથે તકરાર કરી હતી, અને તું ગઈકાલે મારા માટે ચા લઈને કેમ આવ્યો ન હતો, તેમ કહી ઉશ્કેરાયો હતો, અને છરી ના ઘા ઝીંકી દીધા હતા. જેથી ઇજાગ્રસ્ત મેમણ વેપારી યુવાનને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, અને તેને ચાર ટાંકા લેવા પડ્યા હતા. સમગ્ર મામલે સીટી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ તપાસ ચલાવે છે, અને ફરાર થઈ ગયેલા આરોપીની શોધખોળ હાથ ધરી છે.