Jamnagar,તા.10
જામનગરમાં સાત રસ્તા સર્કલ નજીક પાર્ક કરવામાં આવેલી વધુ ત્રણ લક્ઝરી બસમાંથી કોઈ તસ્કરો છ નંગ બેટરીની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
જામનગરમાં ગુરુદ્વારા સર્કલ નજીક નવા ઓવરબ્રિજ નીચે પાર્ક કરેલી બે લક્ઝરી બસને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લઈ તેમાંથી ચાર નંગ બેટરીની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઇ હતી, દરમિયાન ગઈકાલે જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં વધુ એક બેટરી ચોરી અંગેની ફરિયાદ નોંધાવાઈ છે.
સાતરસ્તા સર્કલ નજીક પાર્ક કરવામાં આવેલી 3 લકઝરી બસને નિશાન બનાવી લીધી હતી. જામનગરમાં શાંતિનગર સોસાયટીમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા જયપાલસિંહ મહેન્દ્રસિંહ ગોહિલે સાત સર્કલ નજીક પાર્ક કરેલી પોતાની તથા અન્ય ટ્રાવેલ્સ સંચાલકની કુલ ત્રણ અલગ અલગ બસમાંથી કોઈ તસકરો રૂપિયા 30,000 ની કિંમતની છ નંગ બેટરીની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે.