Jamnagarતા. ૩,
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને જામનગરમાં હિન્દુ એકતા સમિતિ મેદાને પડી છે, અને બુધવાર તારીખ ૪ ડિસેમ્બરના રોજ એક મૌન રેલીનું આયોજન કરાયું છે, અને જિલ્લા કલેકટર કચેરીએ પહોંચીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવશે.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો રોકવા જામનગરમાં હિન્દુ એકતા સમિતિ સમર્થનમાં આવી છે, અને આગામી ૪ ડિસેમ્બર ને બુધવારે મૌન રેલી નું આયોજન કરવામાં આવ્યું છે જે રેલી સવારે ૧૧.૦૦ વાગ્યે શરૂ સેકસન રોડ નજીક આવેલા સરલાબેન આવાસ ભવન પાસેથી પ્રારંભ થશે, અને મૌન રેલી ના સ્વરૂપમાં જામનગરની જિલ્લા કલેકટર કચેરી એ પહોંચીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવશે.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા દમનોને લઈને સમગ્ર હિન્દુ સમાજ લાલઘૂમ છે, ત્યારે ભારત સરકાર દ્વારા આવી અમાનવીય ઘટનાઓ અટકે, તે માટે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે, તેવી લાગણી અને માંગણી સાથે જામનગર નો સર્વે હિન્દુ સમાજ એકત્ર થઈને આ રેલીમાં જોડાય તે માટેનું હિન્દુ એકતા સમિતિ દ્વારા આહવાન કરાયું છે.