આ સર્વેમાં ઉદ્યોગકારોની સાથે વાતચીત કરીને તેમના ઉદ્યોગોની તકનીકી વિગતો મેળવવામાં આવશે
Jamnagarતા.૨૧
ભારત સરકારની રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ કચેરી (એન.એસ.એસ.ઓ.)ની ટીમ આજે જામનગરના ઉદ્યોગ નગરમાં આવી પહોંચી છે. આ ટીમ જામનગરના ઉદ્યોગો, ખાસ કરીને બ્રાસ પાટ્ર્સ ઉદ્યોગના વિકાસનું મૂલ્યાંકન કરવા માટે અહીં આવી છે.
સવારથી સાંજ સુધી ચાલનારા આ સર્વેમાં ઉદ્યોગકારો સાથે વાતચીત કરીને તેમના ઉદ્યોગોની તકનીકી વિગતો મેળવવામાં આવશે. આ સર્વે દ્વારા ઉદ્યોગોમાં આવતી મુશ્કેલીઓ અને વિકાસ માટેની શક્યતાઓને ઓળખવામાં મદદ મળશે.
ભારત સરકારની રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ કચેરી (એન.એસ.એસ.ઓ.) ૧૯૫૦થી ભારતમાં વિવિધ સર્વેક્ષણો કરતી આવી છે. વાર્ષિક ઉદ્યોગ સર્વેક્ષણ (એ.એસ.આઈ.) ભારતમાં ઉદ્યોગિક આંકડાનો મુખ્ય સ્ત્રોત છે. આ સર્વેક્ષણ ૨૦૦૮ના સંગ્રહ આંકડા (સી.ઓ.એસ.) અધિનિયમ અને ૨૦૧૧માં બનાવેલા નિયમો હેઠળ વાર્ષિક ધોરણે કરવામાં આવે છે.
આ સંમેલનનો હેતુ ૨૦૨૩.૨૪ના એ.એસ.આઈ. રિટર્નને સમયસર ભરવા માટે ઉદ્યોગ એકમો/ઉદ્યોગસાહસિકોને એ.એસ.આઈ. ૨૦૨૩-૨૪ શેડ્યૂલના સ્વ-સંકલનની પ્રક્રિયાને સમજવા માટે જાગૃત કરવાનો છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે રિટર્ન ભરવા માટે પસંદ કરાયેલ ઉત્પાદન ક્ષેત્રના કારખાનાઓના પ્રતિનિધિઓ આ સંમેલનમાં હાજરી આપી શકે છે.
આ સર્વેનું ઉદૃઘાટન એન.એસ.ઓ.,એમ.ઓએસ.પી.એલ.ના પ્રાદેશિક કચેરી, અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડૉ. નિયતિ જોશીએ કર્યું હતું. આ પ્રસંગે જામનગર જિલ્લાના જિલ્લા આંકડા અધિકારી શ્રીમતી બિનલ સુથાર, જામનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર શ્રીમતી શોભના એમ રાઠોડ અને ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી દિનેશભાઈ એમ. ડાંગરીયા અને શ્રી લાખાભાઈ કેશવાલા ઉપસ્થિત રહ્યા હતા.
આ સર્વે દ્વારા એકત્રિત કરવામાં આવેલ માહિતીનો ઉપયોગ ઉદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે નીતિઓ બનાવવામાં મદદરૂપ થશે. આ સર્વે દ્વારા ઉદ્યોગોના કુલ ઘરેલુ ઉત્પાદનમાં (જી.ડી.પી.) યોગદાનનો અંદાજ પણ મળશે.