Jamnagar તા.૧૬
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતી મૂળ મધ્ય પ્રદેશ ની વતની સુનિતાબેન રાકેશભાઈ ભાભોર નામની પરપ્રાંતિય શ્રમિક યુવતીએ ગઈકાલે પોતાની વાડીએ કપાસ છાંટવાની જંતુનાશક દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતીઝ જ્યાં તબીબે તેણીનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ રાકેશભાઈ કેસરસીંગભાઇ ભાભોરે પોલીસને જાણ કરતાં કાલાવડ ટાઉન પોલીસે બનાવના સ્થળે તેમજ સરકારી હોસ્પિટલે પહોંચી જઈ, મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવતી છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતી હતી, અને છેલ્લા ત્રણ દિવસથી તેમની તબિયત લથડતાં જિંદગીથી તંગ આવી જઈ આ પગલું ભરી લીધાનું જાહેર થયું છે.