Jamnagar,તા.25
જામનગર ના વેપારી એ દ્વારકા જિલ્લા ના વેપારી પાસે થી રૂપિયા એક લાખ ની રકમ હાથ ઉછીની મેળવી હતી. અને તેની પરત ચુકવણી માટે ચેક આપ્યો હતો. જે ચેક પરત ફરતા અદાલત માં ફરિયાદ નોંધાવાઈ હતી. જેમાં અદાલતે આરોપી ને એક વર્ષ ની સાદી કેદ સજા નો હુકમ કર્યો છે.
દેવભૂમિ દવારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાનાં માલેતા ગામ નાં જાડેજા દીગુભા ગજુભા પાસેથી જામનગર ના વેપારી ઈકબાલભાઈ ઇસ્માઇલ બ્લોચ દવારા સંબંધ નાં દાવે હાથ ઊછીના રૂ .એક લાખ લેવામાં આવ્યા હતા.તેની પરત ચુકવણી માટે ઈકબાલભાઈ દવારા ચેક આપવામાં આવ્યો હતો. જે ચેક અપૂરતા નાણાં ભંડોળ નાં કારણે પરત ફર્યો હતો. જેથી દીગુભા જાડેજા દ્વારા જામનગર ની અદાલત માં ફરિયાદ કરવામાં આવી હતી.
જે કેશ જામનગર એડીશનલ ચીફ.જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ ભાસ્કર ચાર. દવે ની અદાલત મા ચાલી જતા ઈકબાલ ઇસ્માઇલભાઈ બ્લોચ ને એક વરસ ની સાદી કેદ ની સજા તથા એક લાખ રૂપીયા દંડ અને દંડ ની રકમ ફરીયાદી ને વળતર તરીકે ચુકવી આપવા નો હુકમ કરેલ છે. જો આરોપી દંડ ની રકમ ભરપાઈ ન કરે તો વધુ છ માસ ની સાદી કેદ ની સજા નો પણ હુકમ કરેલ છે.
આ કેશ મા કરોયાદી તરકે વકીલ સી એચ. ઠાકર તથા બીમલસિંહ ડી .ઝાલા રોકાયા હતા