Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    નિફટી ફ્યુચર ૨૫૩૭૩ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

    September 23, 2025

    Plane’s Cockpit ને ટોઈલેટ સમજી ગેટ ખોલવાનો યાત્રીએ પ્રયાસ કર્યો : 9 લોકો કસ્ટડીમાં

    September 23, 2025

    Kolkata માં ભારે વરસાદ : ઘરોમાં પાણી ભરાયા,બુધવાર સુધી ભારે વરસાદ પડી શકે છે

    September 23, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • નિફટી ફ્યુચર ૨૫૩૭૩ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
    • Plane’s Cockpit ને ટોઈલેટ સમજી ગેટ ખોલવાનો યાત્રીએ પ્રયાસ કર્યો : 9 લોકો કસ્ટડીમાં
    • Kolkata માં ભારે વરસાદ : ઘરોમાં પાણી ભરાયા,બુધવાર સુધી ભારે વરસાદ પડી શકે છે
    • જાહેર ખર્ચે નેતાઓના પૂતળા મુકી શકાય નહી : Supreme Court
    • રાજયમાં RERAનું આધુનિક ભવન બનશે : રાજય સરકાર દ્વારા જમીન ફાળવાઈ
    • પોતાને કલ્કી અવતાર ગણાવનાર રમેશચંદ્ર ફેફરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો
    • અંગારા પર ગરબે ઘૂમ્યા યુવાનો: Jamnagar માં ‘મશાલ રાસ’ રમી નવરાત્રિની અનોખી ઉજવણી
    • Indian Airspace માં પાકિસ્તાની વિમાનોને હજુ નહીં મળે એન્ટ્રી, સરકારે પ્રતિબંધ લંબાવ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Jamnagar જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરવા કિશાન કોંગ્રેસની ઉગ્ર માંગ
    સૌરાષ્ટ્ર

    Jamnagar જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરવા કિશાન કોંગ્રેસની ઉગ્ર માંગ

    Vikram RavalBy Vikram RavalSeptember 6, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar,તા.૬

    જામનગર જિલ્લામાં છેલ્લા ત્રીસ વર્ષની સરખામણીમાં ૧૫૯% સરેરાશ વરસાદ નોંધાયો છે. આ અતિવૃષ્ટિએ જિલ્લાના ખેડૂતો, માછીમારો અને ગરીબોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. જો કે, સરકાર આપદાગ્રસ્ત લોકોને જરૂરી સહાય પૂરી પારવામાં નિષ્ફળ રહી છે અતિવૃષ્ટિએ ખેડૂતોના પાકને સંપૂર્ણપણે નષ્ટ કરી નાખ્યા, જમીન ધોવાણના કારણે ખેતરો બરબાદ થઈ ગયા.

    ખાસ કરીને જામનગર જિલ્લામાં આ વર્ષે અનપેક્ષિત અતિવૃષ્ટિએ ખેડૂતો, માછીમારો અને સામાન્ય નાગરિકોના જીવનને હચમચાવી નાખ્યું છે. સતત પડતા વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી મગફળી, કપાસ, જુવાર જેવા મુખ્ય પાકોને ભારે નુકસાન થયું છે. ખેતરોની ઉપરની ફળદ્રુપ જમીન ધોવાઈ જવાથી ભવિષ્યમાં ખેતી કરવા માટે જમીનને ફરીથી તૈયાર કરવી એ ખેડૂતો માટે એક નવી ચિંતાનો વિષય બની ગયો છે. આ ઉપરાંત, માછીમારોને પણ આ અતિવૃષ્ટિએ ભારે નુકસાન પહોંચાડ્યું છે. સતત દરિયો ઉછળતો રહેવાથી અને મજબૂત પવનો ફૂંકાતા રહેવાથી ઘણી બોટોને નુકસાન થયું છે. જેના કારણે માછીમારોની રોજીરોટી પર માઠી અસર પડી છે. ઘણા માછીમારો દેવાદાર થઈ ગયા છે અને તેમના પરિવારોને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.

    જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ૧૮૮% જામનગર તાલુકામાં ૧૪૨% જોડિયા તાલુકામાં ૧૬૦% કાલાવડ તાલુકામાં ૧૯૧% અને લાલપુર તાલુકામાં ૧૫૧% એમ જામનગર જિલ્લામાં છેલ્લા ત્રીસ વર્ષની સરખામણીમાં ૧૫૯% સરેરાશ વરસાદ નોંધાયો છે, જિલ્લાના અમુક તાલુકામાં મૌસમના કુલ વરસાદના બે થી ત્રણ ગણા સુધી વરસાદ નોંધાયો હોય ખેડૂતોના પાકો તો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે સાથે સાથે જમીન ધોવાણ પણ ખૂબ મોટા પ્રમાણમાં થયું છે ચોમાસાના અઢી મહિનાના સમયમાં આપણાં જિલ્લામાં દોઢ મહિનો વરસાદના દિવસો પસાર થયા છે જેના કારણે ખેતરમાં સતત પાણી ભરાઈ રહેવાના કારણે પણ પાક લીલો દેખાય છે પણ પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે.

    નીચાંણવાળા વિસ્તારમાં રહેતા ગરીબોના ઘરમાં સતત પાણી ભરાયેલું રહેતા તેમની ઘર વખરીને પણ મોટું નુકશાન થયું છે. આમ ઉપરોક્ત બાબતોને ધ્યાને લઇ ગુજરાત કિસાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ માંગ છે, કે કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૧૬ માં અછતગ્રસ્ત મેન્યુઅલમાં કરેલા સુધારા મુજબ જે તાલુકામાં છેલ્લા ત્રીસ વર્ષેના વરસાદની સરખામણી એ પ્લસ કે માઇનસ ૪૦% નો ફેરફાર થાય એટલે કે ૧૪૦% વરસાદ પડે કે માત્ર ૫૯% વરસાદ પડે તો લીલો દુષ્કાળ કે અછતગ્રસ્ત જાહેર કરવાની જોગવાઈ છે તે મુજબ જામનગર જિલ્લામાં ૧૫૯% વરસાદ નોંધાયો હોય જામનગર જિલ્લાને લીલા દુષ્કાળગ્રસ્ત વિસ્તાર જાહેર કરી અછતગ્રસ્તની  જોગવાઇનો તાત્કાલિક અમલ કરવો જોઈએ.

    ૨૦ ઓગેસ્ટ ૨૦૨૦ ના રોજ રાજ્ય સરકારે બનાવેલી “”મુખ્યમંત્રી કિસાન સહાય યોજના”” માં અતિવૃષ્ટિની જે વ્યાખ્યા કરવામાં આવી હતી કે “”સતત ૪૮ કલાકમાં જો ૨૫ ઇંચ વરસાદ પડે તો તેને અતિવૃષ્ટિ ગણવી”” એ મુજબ પણ જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ નોંધાઈ ચુકી છે અત્યારે ભલે એ યોજના બંધ હોય પણ સરકારે જ્યારે આ યોજના બનાવી ત્યારે અતિવૃષ્ટિની ગંભીરતા એની વ્યાખ્યામાં સ્પષ્ટ થાય છે એ મુજબ આપણો જિલ્લો અતિવૃષ્ટિનો ભોગ બન્યો છે તો એ યોજના મુજબ પ્રતિ હેકટર ખેડૂતોને ઓછામાં ઓછા ૨૫૦૦૦ અને ચાર હેક્ટરની મર્યાદામાં એમ કુલ એક લાખની ખેડૂતદીઠ વળતર આપવું જોઈએ

    કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરતા વધુ જણાવ્યું હતું કે  ભાજપના ભયમુક્ત ભ્રષ્ટાચારનો ભોગ રાજ્યનું “જમીન વિકાસ નિગમ” બન્યું ભાજપ સરકાર ભ્રષ્ટાચારને નાબૂદ ન કરી શક્યું તો તેમણે જમીન વિકાસ નિગમને જ બંધ કરી દીધું અને તેનો ભોગ અત્યારે ખેડૂતો બની રહયા છે અતિવૃષ્ટિ જેવી ઘટનામાં ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ તેનું અત્યારે કોઈ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ન તો સર્વે કરવામાં આવે છે કે ન તો સરકાર જમીન ધોવાણનું વળતર આપવામાં આવે છે ત્યાર અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે ખેડૂતોને જે જમીન ધોવાઈ છે તેનું કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સર્વે કરી તાત્કાલિક વળતર આપવામાં આવે છે. આ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ખેડ, ખાતર, દવા, બિયારણ અને મજૂરીનો જ હિસાબ (નફો નહિ) કરીએ તો પણ પ્રતી હેકટર ઓછાંમાં ઓછું ૨ લાખ ૭૫ હજારનું નુકશાન થયું છે જ્યારે ખેડૂતોએ જે પ્રતિ હેકટર ૧ લાખ ૨૫ હજારનું પાક ધિરાણ લીધું છે તે માંડવાળ કરવામાંઆવે તેવી અમારી માંગ છે.

     

    green drought Jamnagar Kishan Congress demand
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    અંગારા પર ગરબે ઘૂમ્યા યુવાનો: Jamnagar માં ‘મશાલ રાસ’ રમી નવરાત્રિની અનોખી ઉજવણી

    September 23, 2025
    સૌરાષ્ટ્ર

    Upleta મેખાટીંબી ગામમાં ટેલિફોન એક્સચેન્જમાંથી રૂ.1.91 લાખની મત્તાની ચોરી

    September 23, 2025
    સૌરાષ્ટ્ર

    Vanthali રાષ્ટ્રધ્વજનું અપમાન: લારી ધારકે ધ્વજથી ફ્રુટને સાફ કર્યા: વિડિયો વાયરલ

    September 23, 2025
    સૌરાષ્ટ્ર

    Kotdasangani: કાલંભડી ગામે જૂની અદાવતમાં ભત્રીજાએ કાકી પર પાવડા વડે હુમલો કર્યા

    September 23, 2025
    સૌરાષ્ટ્ર

    Gondal: શ્રીનાથધામ હવેલીમાં મહાદાન મનોરથ સંપન્ન

    September 23, 2025
    સૌરાષ્ટ્ર

    Savarkundla નું ઘજડી ગામ પ્રગતિશીલ અને આદર્શ ગામ તરીકે ઉભરી આવ્યું

    September 23, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    નિફટી ફ્યુચર ૨૫૩૭૩ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

    September 23, 2025

    Plane’s Cockpit ને ટોઈલેટ સમજી ગેટ ખોલવાનો યાત્રીએ પ્રયાસ કર્યો : 9 લોકો કસ્ટડીમાં

    September 23, 2025

    Kolkata માં ભારે વરસાદ : ઘરોમાં પાણી ભરાયા,બુધવાર સુધી ભારે વરસાદ પડી શકે છે

    September 23, 2025

    જાહેર ખર્ચે નેતાઓના પૂતળા મુકી શકાય નહી : Supreme Court

    September 23, 2025

    રાજયમાં RERAનું આધુનિક ભવન બનશે : રાજય સરકાર દ્વારા જમીન ફાળવાઈ

    September 23, 2025

    પોતાને કલ્કી અવતાર ગણાવનાર રમેશચંદ્ર ફેફરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

    September 23, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    નિફટી ફ્યુચર ૨૫૩૭૩ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

    September 23, 2025

    Plane’s Cockpit ને ટોઈલેટ સમજી ગેટ ખોલવાનો યાત્રીએ પ્રયાસ કર્યો : 9 લોકો કસ્ટડીમાં

    September 23, 2025

    Kolkata માં ભારે વરસાદ : ઘરોમાં પાણી ભરાયા,બુધવાર સુધી ભારે વરસાદ પડી શકે છે

    September 23, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.