Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું રાશિફળ

    June 15, 2025

    આજ નું પંચાંગ

    June 15, 2025

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો
    • EDએ પૂર્વ મંત્રીની ૬ કરોડ રૂપિયા ની મિલકત જપ્ત કરી, તેઓ સતત છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા
    • Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું
    • Kedarnath ના ગૌરીકુંડના જંગલોમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત લોકોના મોત થયા
    • Israel મિસાઇલો વરસાવી, ઇરાનના પરમાણુ સ્થળ પર ભારે નુકસાન થયું
    • Nigeria માં બંદૂકધારીઓનો ત્રાસ, ૧૦૦ લોકોને બેડરૂમમાં બંધ કરીને જીવતા સળગાવી દીધા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Jamnagar જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરવા કિશાન કોંગ્રેસની ઉગ્ર માંગ
    સૌરાષ્ટ્ર

    Jamnagar જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરવા કિશાન કોંગ્રેસની ઉગ્ર માંગ

    Vikram RavalBy Vikram RavalSeptember 6, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar,તા.૬

    જામનગર જિલ્લામાં છેલ્લા ત્રીસ વર્ષની સરખામણીમાં ૧૫૯% સરેરાશ વરસાદ નોંધાયો છે. આ અતિવૃષ્ટિએ જિલ્લાના ખેડૂતો, માછીમારો અને ગરીબોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. જો કે, સરકાર આપદાગ્રસ્ત લોકોને જરૂરી સહાય પૂરી પારવામાં નિષ્ફળ રહી છે અતિવૃષ્ટિએ ખેડૂતોના પાકને સંપૂર્ણપણે નષ્ટ કરી નાખ્યા, જમીન ધોવાણના કારણે ખેતરો બરબાદ થઈ ગયા.

    ખાસ કરીને જામનગર જિલ્લામાં આ વર્ષે અનપેક્ષિત અતિવૃષ્ટિએ ખેડૂતો, માછીમારો અને સામાન્ય નાગરિકોના જીવનને હચમચાવી નાખ્યું છે. સતત પડતા વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી મગફળી, કપાસ, જુવાર જેવા મુખ્ય પાકોને ભારે નુકસાન થયું છે. ખેતરોની ઉપરની ફળદ્રુપ જમીન ધોવાઈ જવાથી ભવિષ્યમાં ખેતી કરવા માટે જમીનને ફરીથી તૈયાર કરવી એ ખેડૂતો માટે એક નવી ચિંતાનો વિષય બની ગયો છે. આ ઉપરાંત, માછીમારોને પણ આ અતિવૃષ્ટિએ ભારે નુકસાન પહોંચાડ્યું છે. સતત દરિયો ઉછળતો રહેવાથી અને મજબૂત પવનો ફૂંકાતા રહેવાથી ઘણી બોટોને નુકસાન થયું છે. જેના કારણે માછીમારોની રોજીરોટી પર માઠી અસર પડી છે. ઘણા માછીમારો દેવાદાર થઈ ગયા છે અને તેમના પરિવારોને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.

    જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ૧૮૮% જામનગર તાલુકામાં ૧૪૨% જોડિયા તાલુકામાં ૧૬૦% કાલાવડ તાલુકામાં ૧૯૧% અને લાલપુર તાલુકામાં ૧૫૧% એમ જામનગર જિલ્લામાં છેલ્લા ત્રીસ વર્ષની સરખામણીમાં ૧૫૯% સરેરાશ વરસાદ નોંધાયો છે, જિલ્લાના અમુક તાલુકામાં મૌસમના કુલ વરસાદના બે થી ત્રણ ગણા સુધી વરસાદ નોંધાયો હોય ખેડૂતોના પાકો તો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે સાથે સાથે જમીન ધોવાણ પણ ખૂબ મોટા પ્રમાણમાં થયું છે ચોમાસાના અઢી મહિનાના સમયમાં આપણાં જિલ્લામાં દોઢ મહિનો વરસાદના દિવસો પસાર થયા છે જેના કારણે ખેતરમાં સતત પાણી ભરાઈ રહેવાના કારણે પણ પાક લીલો દેખાય છે પણ પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે.

    નીચાંણવાળા વિસ્તારમાં રહેતા ગરીબોના ઘરમાં સતત પાણી ભરાયેલું રહેતા તેમની ઘર વખરીને પણ મોટું નુકશાન થયું છે. આમ ઉપરોક્ત બાબતોને ધ્યાને લઇ ગુજરાત કિસાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ માંગ છે, કે કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૧૬ માં અછતગ્રસ્ત મેન્યુઅલમાં કરેલા સુધારા મુજબ જે તાલુકામાં છેલ્લા ત્રીસ વર્ષેના વરસાદની સરખામણી એ પ્લસ કે માઇનસ ૪૦% નો ફેરફાર થાય એટલે કે ૧૪૦% વરસાદ પડે કે માત્ર ૫૯% વરસાદ પડે તો લીલો દુષ્કાળ કે અછતગ્રસ્ત જાહેર કરવાની જોગવાઈ છે તે મુજબ જામનગર જિલ્લામાં ૧૫૯% વરસાદ નોંધાયો હોય જામનગર જિલ્લાને લીલા દુષ્કાળગ્રસ્ત વિસ્તાર જાહેર કરી અછતગ્રસ્તની  જોગવાઇનો તાત્કાલિક અમલ કરવો જોઈએ.

    ૨૦ ઓગેસ્ટ ૨૦૨૦ ના રોજ રાજ્ય સરકારે બનાવેલી “”મુખ્યમંત્રી કિસાન સહાય યોજના”” માં અતિવૃષ્ટિની જે વ્યાખ્યા કરવામાં આવી હતી કે “”સતત ૪૮ કલાકમાં જો ૨૫ ઇંચ વરસાદ પડે તો તેને અતિવૃષ્ટિ ગણવી”” એ મુજબ પણ જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ નોંધાઈ ચુકી છે અત્યારે ભલે એ યોજના બંધ હોય પણ સરકારે જ્યારે આ યોજના બનાવી ત્યારે અતિવૃષ્ટિની ગંભીરતા એની વ્યાખ્યામાં સ્પષ્ટ થાય છે એ મુજબ આપણો જિલ્લો અતિવૃષ્ટિનો ભોગ બન્યો છે તો એ યોજના મુજબ પ્રતિ હેકટર ખેડૂતોને ઓછામાં ઓછા ૨૫૦૦૦ અને ચાર હેક્ટરની મર્યાદામાં એમ કુલ એક લાખની ખેડૂતદીઠ વળતર આપવું જોઈએ

    કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરતા વધુ જણાવ્યું હતું કે  ભાજપના ભયમુક્ત ભ્રષ્ટાચારનો ભોગ રાજ્યનું “જમીન વિકાસ નિગમ” બન્યું ભાજપ સરકાર ભ્રષ્ટાચારને નાબૂદ ન કરી શક્યું તો તેમણે જમીન વિકાસ નિગમને જ બંધ કરી દીધું અને તેનો ભોગ અત્યારે ખેડૂતો બની રહયા છે અતિવૃષ્ટિ જેવી ઘટનામાં ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ તેનું અત્યારે કોઈ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ન તો સર્વે કરવામાં આવે છે કે ન તો સરકાર જમીન ધોવાણનું વળતર આપવામાં આવે છે ત્યાર અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે ખેડૂતોને જે જમીન ધોવાઈ છે તેનું કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સર્વે કરી તાત્કાલિક વળતર આપવામાં આવે છે. આ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ખેડ, ખાતર, દવા, બિયારણ અને મજૂરીનો જ હિસાબ (નફો નહિ) કરીએ તો પણ પ્રતી હેકટર ઓછાંમાં ઓછું ૨ લાખ ૭૫ હજારનું નુકશાન થયું છે જ્યારે ખેડૂતોએ જે પ્રતિ હેકટર ૧ લાખ ૨૫ હજારનું પાક ધિરાણ લીધું છે તે માંડવાળ કરવામાંઆવે તેવી અમારી માંગ છે.

     

    green drought Jamnagar Kishan Congress demand
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Ahmedabad Plane Crash: સૌરાષ્ટ્ર-કચ્છના 28 મુસાફરોએ જીવ ગુમાવ્યાં

    June 13, 2025
    સૌરાષ્ટ્ર

    Wadhwan: છેલ્લા 48 કલાકમાં ગેરકાયદેસર રૃા.4 કરોડથી વધુની ખનીજચોરી ઝડપાઈ

    June 13, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: અમદાવાદના પ્લેન ક્રેશમાં ધોળકાના કેલિયા વાસણાના દંપતીનું મોત

    June 13, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: અમદાવાદ-કચ્છ હાઈવે પર એસ.ટી. બસ ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો

    June 13, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: ભૂંડ પકડવા બાબતે બે જૂથો વચ્ચે મારામારીમાં ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત

    June 13, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: ઝાલાવાડમાં 5 વર્ષમાં 6 બાળમજૂરને મુક્ત, 1 લાખનો દંડ વસૂલાયો

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આજનું રાશિફળ

    June 15, 2025

    આજ નું પંચાંગ

    June 15, 2025

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025

    EDએ પૂર્વ મંત્રીની ૬ કરોડ રૂપિયા ની મિલકત જપ્ત કરી, તેઓ સતત છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા

    June 15, 2025

    Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું

    June 15, 2025

    Kedarnath ના ગૌરીકુંડના જંગલોમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત લોકોના મોત થયા

    June 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું રાશિફળ

    June 15, 2025

    આજ નું પંચાંગ

    June 15, 2025

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.