Jamnagar તા ૫
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ- ગાંધીનગર દ્વારા લેવામાં આવેલી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં જામનગર જિલ્લામાં ૭૫૨૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જે પૈકી ૭૫૦૬ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા અને ૯૩.૬૧ ટકા પરિણામ આવ્યું છે.
જેમાં એ.-૧ માં ૧૮૪ વિદ્યાર્થી જ્યારે એ. -૨ માં ૧૨૭૦ વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે. ઉપરાંત બી.-૧ માં ૧૭૧૨ જ્યારે બી-૨ માં ૧૮૦૩, સી. -૧ માં ૧૪૧૫ અને સી.-૨ માં ૬૦૭, જ્યારે ડી માં ૩૫ વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે.
જામનગર જિલ્લામાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ નું ૯૦.૮૫ ટકા પરિણામ
એ-૧માં ૧૭ અને એ.-૨ માં ૧૭૭ તેમજ બી-૧ માં ૧૭૭ વિધાર્થી ઉત્તીર્ણ થયા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ- ગાંધીનગર દ્વારા લેવામાં આવેલી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં જામનગર જિલ્લામાં ૧૬૨૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જે પૈકી ૧૬૧૮ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા અને ૯૦.૮૫ ટકા પરિણામ આવ્યું છે.
જેમાં એ.-૧ માં ૧૭ વિદ્યાર્થી જ્યારે એ. -૨ માં ૧૭૭ વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે. ઉપરાંત બી.-૧ માં ૩૫૯ જ્યારે બી-૨ માં ૩૭૯, સી. -૧ માં ૩૨૦ અને સી.-૩ માં ૧૮૪, જ્યારે ડી માં ૩૪ વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે.