Jamnagarતા.૨૦
જામનગર તાલુકા ના આમરા ગામમાં રહેતી એક પરણીતાને પોતાના ઘેર કપડા સુકવવા જતાં વિજ આંચકો લાગવાથી અપમૃત્યુ થયું છે. આ બનાવની વિગત એવી છે કે અમરા ગામમાં રહેતી મંજુલાબેન નરોત્તમભાઈ ધારવીયા નામની ૪૪ વર્ષની સતવારા જ્ઞાતિ ની પરણીતા ગઈકાલે પોતાના ઘેર કપડાં સુકવવા જતી હતી, તે દરમિયાન તેણીને એકાએક વિજ આંચકો લાગ્યો હતો, અને બેશુદ્ધ બની હતી. આથી ૧૦૮ ની ટીમને બોલાવતાં ૧૦૮ ની ટુકડી ઘેર આવી પહોંચી હતી અને મંજુલાબેનને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડી હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મંજુલાબેન નું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક ના પતિ નરોતમભાઈ ભવાનભાઈ ધારવીયા એ પોલીસને જાણ કરતાં સિક્કાના એ.એસ.આઈ.સી.ટી. પરમાર વધુ તપાસ કરી રહયા છે.