Jamnagar,તા.10
જામનગરમાં ખોજા નાકા વિસ્તારમાં રહેતા એક દંપતિ ઉપર તેમના સગા ભત્રીજાઓએ મકાનના ભાગના પ્રશ્નો તકરાર કરી હુમલો કરી દીધાની અને લોહી લુહાણ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે, જ્યારે ઇજાગ્રત દંપત્તિને જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.
આ હુમલાના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોજા નાકા પાસે ખોજાની બોર્ડિંગની બાજુમાં રહેતા ફિરોજભાઈ હનીફભાઈ ચાકી નામના 40 વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાની પત્ની શબનાબેન ઉપર લાકડાના ધોકા અને મકાનના નળિયા વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખવા અંગે પોતાના જ બે સગા ભત્રીજાઓ વસીમ રફીકભાઈ ખાખી, અને સમીર રફીકભાઈ ખાખી સામે ફરિયાદ નોંધાવી છે.
જે હુમલામાં દંપતિને લોહી નીતરતી હાલતમાં જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે, અને આરોપી કે જેઓનું સંયુક્ત માલિકીમાં મકાન આવેલું છે, અને એક જ બંધ ડેલીવાળા મકાનમાં રહે છે, જે મકાનના ભાગના પ્રશ્ને તકરાર થયા પછી આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.