Jamnagar તા.15
જામનગરમાં વધુ એક વખત બાળ મજુરી કરાવવામાં આવતી હોવાનું સામે આવી છે. જેને પગલે સંબંધિત વિભાગ દ્વારા બાળ મજુરને મુક્ત કરાવી નાસ્તા હાઉસના માલિક સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે જામનગરના ખંભાળિયા નાકાની પાસે આવેલ આશાપુરા પકવાન હાઉસમાં 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકને કામે રાખવામાં આવ્યો હોવાની જાણ થતા સંબંધિત વિભાગ દ્વારા આશાપુરા પકવાન હાઉસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં બાળક મજૂરી કરતો મળી આવ્યો હતો. જેને પગલે તંત્ર દ્વારા આશાપુરા નાસ્તા હાઉસના માલિક ભાગીદાર ચેતન જયંતીભાઈ નંદા સામે ગુનો નોંધી તપાસના ચક્રવર્તીમાન કરવામાં આવ્યા છે.