Jamnagar તા.૭
જામનગરમાં નાગનાથ ગેઇટ વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા જીતેન્દ્રભાઈ મોહનભાઈ ભટ્ટી નામના આધેડે પોતાના ઉપર તેમજ પોતાની સાથે જ કામ કરતા આરીફ નામના યુવાન પર લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે ચિરાગ અશોકભાઈ ડોડીયા, દીપક અશોકભાઈ ડોડીયા, અને આશિષ અશોકભાઈ ડોડીયા નામના ત્રણ ભાઈઓ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપીઓને અગાઉ મકાનના બાંધકામના પ્રશ્ને તકરાર થઈ હતી, ત્યારબાદ વાહન ચલાવતી વખતે આરોપીઓ ગાયને રોટલી નાખતા હતા, જે પ્રશ્ને ફરીથી તેઓ વચ્ચે તકરાર થયા પછી આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.