Jamnagar,તા.૨૩
જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા આજે શહેરમાં મીઠાઈ નાં ધંધાર્થીઓ ને ત્યાં આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી.અને રૂ. પોણો લાખ ની કિંમત નાં ૩૩૮ કિલો મીઠાઈ – માવા નો નાશ કરવા આવ્યો હતો.
જામનગર મહાનગરપાલિકા ના કમિશનર ડી.એન. મોદી ના સીધા માર્ગદર્શન હેઠળ તાં. ૧૯/૧૦/૨૦૨૪ થી ૨૫/૧૦/૨૦૨૪ સુધી આયોજીત ફૂડ સેફ્ટી પખવાડા અંતર્ગત જામનગર શહેર માં વહેચાતા ખાદ્ય પદાર્થ ની ડ્રાઈવ રૂપે ડે ટુ ડે એફ.એસ.ઓ ની ટીમ દ્વારા અલગ અલગ ખાદ્ય પદાર્થો વેચાણ /સંગ્રહ/ઉત્પાદન કરતા વેપારીઓ ને ત્યાં તપાસણી તથા નમુના લેવાની કામગીરી કરવામાં આવી રહી છે.
જેમાં આજ રોજ શહેર ના અલગ અલગ વિસ્તારો મા ખાદ્ય સામગ્રી (મીઠાઈ) વાળા ઓ ને ત્યાં તપાસ કરી વાસી/અખાદ્ય/મિસબ્રાન્ડેડ ખાધ પદાર્થો નો નાશ કરવામાં આવ્યો હતો. તથા આ કામગીરી દિવાળી તહેવાર ને અનુસંધાને અવિરત ચાલુ રાખવામાં આવનાર છે.તેમ જણાવાયું છે.
તા.૨૨/૧૦/૨૦૨૪ ના ફુડ વિભાગ ની ટીમ દ્વારા દીગજામ સર્કલ માં આવેલ બાલાજી સ્વીટ ના ગોડાઉન માં રૂબરૂ ઇન્સ્પેકશન કરતા આશરે ૭૦ કિલો મોતીચૂર ના લાડુ ( કીમત ૧૪૦૦૦ ) ના અનહાઇજેનિક કંડીશન જણાતા એફ.એસ.ઓ.ની ટીમ દ્વારા તપેલા માં ખાલી કરાવી તેમાં પાણી નાખી નાશ કરાવેલ છે.
ખોડીયાર કોલોની હિમાલય સોસાયટી -૧ માં ક્રિષ્ના ગુલાબજાંબુ નામની પેઢી માં રૂબરૂ ઇન્સ્પેકશન કરતા ગુલાબજાંબુ ના પેકિંગ લેબલ વગર સપ્લાય કરવામાં આવતા હોવા નું જણાતા જે ફુડ સેફ્ટી ની જોગવાઈ નું પાલન થતું ન હોય તેમજ તેલ પણ TPC ૨૫ ઉપર થવા છતા ઉપયોગ કરતા હોય તેવું જણાયેલ અને ચાસણી પણ અનહાઇજેનિક કંડીશન મા ખુલ્લી જણાતા રૂ.૫૪૦૦ ની કીમત નાં ૪૫ કિલો જાંબુ , રૂ.૪૨૦૦ ની કીમત નું ૩૦ કિલો તેલ , રૂ.૩૦૦૦ ની કિંમત ની ૫૦ કિલો ચાસણી નો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરવા મા આવ્યો હતી.ની કાર્યવાહી કરેલ .
રામનગર નો ઢળિયો બેડેશ્વર માં આવેલ રિષભ ગૃહ ઉધોગ ના ગોડાઉન માં રૂબરૂ ઇન્સ્પેકશન દરમિયાન વાસી ખાદ્ય પદાર્થ તથા શંકાસ્પદ માવો જોવા મળતા રૂ.૨૮૦૦ ની કિંમત નાં ૮ કિલો લાડુ, રૂ.૭૦૦૦ ની કીમત નો ૩૫ કિલો મેસુબ , રૂ.૪૦,૦૦૦ ની કીમત નો ૧૦૦ કિલો વાસી માવો નાં જથ્થા નો નાશ કરવામાં આવ્યો હતો.આમ કુલ રૂ ૭૬ ૪૦૦ ની કીમત નાં ૩૩૮ કિલો વાસી અખાદ્ય મીઠાઈ માવા નો નાશ કરાયો હતો.