Jamnagar, તા ૩1
જામનગર માં સમર્પણ સર્કલ નજીક મયુર વિલાપાર્ક સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં ગઈ રાતે સૉર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને તમામ સામાન સળગી ઊઠ્યો હતો. ફાયર બ્રિગેડે પહોંચી જઈ આગને કાબુમાં લીધી હતી.
આગના આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સમર્પણ સર્કલ નજીક મયુર વીલા સોસાયટી શેરી નંબર પાંચ માં રહેતા વિનુભાઈ સામતભાઈ કારેજાના મકાનમાં પોણા બારેક વાગ્યા ના અરસામાં અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને મકાનના બે રૂમમાં રાખેલો તમામ માલસામાન સળગી ઊઠ્યો હતો.
ઇલેક્ટ્રીક ઉપકરણો જેમાં ટીવી, ફ્રીઝ, એસી, પંખા તથા ઇલેક્ટ્રીક વાયરીંગ સળગી ઊઠ્યા હતા. ઉપરાંત તમામ ફર્નિચર-ગાદલા સહિત નો માલ સામાન પણ સળગી ઊઠ્યો હતો.
આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે આગને કાબુમાં લીધી હતી.
આ અકસ્માતે સૉર્ટસર્કિટ થવાના કારણે બન્યો હોવાનું અનુમાન લગાવાયું છે. જયારે મકાન માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું છે