Jamnagar તા.25
જામનગર સંસદીય મતવિસ્તારના જામનગર જિલ્લાના જામનગર-સમાણા ફુલનાથ રોડ ખૂબ જ મહત્વનો છે. જામનગરથી સમાણા જામજોધપુર જતો આ રસ્તો ખૂબ જ ટ્રાફીક પણ રહે છે, જે રસ્તાની અગત્યતા ધ્યાને લઈ આ રસ્તાને 10 મી પહોળો કરી મજબુતીકરણ સાથે સ્ટ્રક્ચર રીક્ધસ્ટ્રકશન સાથે સી.સી.રોડના આનુસાંગીક કામગીરી કરવા બાબતે સાંસદ પૂનમબેન માડમ દ્વારા સરકારમાં રજુઆત કરવામાં આવેલ હતી. જે કામ માટે સરકારે રૂા.94.40 કરોડના કામને સૈદ્ધાતીક મંજૂરી આપી છે.
આ મહત્વના રોડ અંગે મુખ્યમંત્રી દ્વારા સૈધ્ધાંતીક મંજુરી મળતા જનસુવિધાના આ મહત્વના રસ્તાના કામ માટેની આ ભારપૂર્વકની રજુઆતને અનુલક્ષીને આ કામ મંજુર થતા સંસદ સભ્ય પૂનમબેન માડમએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. સાંસદની અસરકારક આ રજૂઆત સફળ રહેતા જામનગર સંસદીય મત વિસ્તારના લોકોએ સાંસદ પૂનમબેન માડમનો આભાર વ્યક્ત કરેલ છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી જામનગર-સમાણા ફુલનાથ રોડ પહોળો કરી મજબુતીકરણ સાથેના કામ માટે રૂા.94.40/- કરોડના રસ્તાના આ વિકાસ કામને સૈષ્ણાંતીક રીતે મંજુર થતા લગત વિસ્તારોના ગામો માટે પરિવહન અને આવન જાવન માટે ખૂબ સાનુકુળ બની રહેશે.