Jamnagar,તા.૧૬
જામનગરનાં આલિયાબાડા તળામાં ૪ બાળકો નાહ્વા પડ્યા હતા. તળાવમાં નાહ્વા પડ્યા હતા. જામનગર ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ફાયર વિભાગ દ્વારા ૪ માંથી ૧ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકનાં મોતનાં સમાચાર પરિવારજનોને મળતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.
ચાર દિવસ અગાઉ ગણેશ વિસર્જનમાં ડૂબવાથી વધુ ૮ લોકોના મોત થયા હતા. આ ઘટના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ પાસે બની હતી. મેશ્વો નદીમાં ગણપતિની મૂર્તિ વિસર્જન કરવા ગયેલા યુવકોમાંથી ૧૦ લોકો નદીમાં ડૂબ્યા હતા. જેમાંથી ૮ લોકોના મૃતદેહ બહાર કઢાયા છે.
આ ઘટનામાં એ પણ જાણવા મળ્યું છે કે ૧ યુવકને બચાવવા અન્ય યુવકો પડ્યા હતા. ૮ મૃતકમાંથી ૭ લોકો વાસણા સોગઢી ગામના રહેવાસી હોવાનો ખુલાસો થયો છે, જ્યારે અન્ય ૧ કપડવંજ તાલુકાના વાધાવત ગામનો રહેવાસી હોવાનો ખુલાસો થયો છે.
આ ઘટનાને લઇને ચકચાર મચી છે. મૃતદેહ બહાર કાઢવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની મદદ લેવામાં આવી છે.ગણેશ વિસર્જન જ્યારથી શરૂ થયું છે ત્યારથી યુવકોના ડૂબવાની ઘટના સામે આવી રહી છે. ૮ તારીખથી લઇને આજ સુધીના ૫ દિવસમાં કુલ ૧૫ લોકોએ વિસર્જનમાં ડૂબવાથી જીવ ગુમાવ્યો છે.