મિત્રતાના દાવે લીધેલી રકમ 60,000 ચૂકવવા આપેલો ચેક વગર વસુલાતે પરત ફરવાના કેસ ચાલી જતા અદાલતે આરોપીને એક વર્ષની કેદ અને ચેક મુજબ વળતર ચૂકવવા હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ જામનગર ખાતે રહેતા તેજપાલસિંહ લખુભા ગોહિલ નામના યુવાન પાસેથી મિત્રતાના દાવે યુગલ જીતેન્દ્રભાઈ હીંગોરીયા નામના યુવાને આર્થિક કારણ 60000 રૂપિયા હાથ ઉછીના લીધા હતા જે રકમ ચૂકવવા માટે આપેલો ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે અદાલતમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદી ના એડવોકેટ ભાર્ગવ મહેતા દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવા અને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પ્રસ્થાપિત થયેલા ચુકાદાઓ રજૂ કરવામાં આવેલા ફરિયાદ પક્ષ પોતાનો કેસ કોર્ટ સમક્ષ સાબિત કરવામાં સફળ રહેલ હોય જે ધ્યાને લઈ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી આર દવે યુગલ જીતેન્દ્ર હીંગોરીયા ને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા અને ચેક મુજબની રકમનો દંડ કરવામાં આવેલ છે. આરોપી દંડની રકમ ચૂકવવામાંકસુર ઠરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. ફરિયાદી વતી એડવોકેટ તરીકે ભાર્ગવ પ્રફુલચંદ્ર મહેતા રોકાયા હતા
Trending
- 11 નવેમ્બર નું પંચાંગ
- 11 નવેમ્બર નું રાશિફળ
- દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત
- પીઢ એક્ટર Prem Chopra હૉસ્પિટલમાં દાખલ
- 11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”
- જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક
- તંત્રી લેખ…ટ્રમ્પની જાહેરાત ભારત જેવી ઉભરતી શક્તિઓ માટે માથાનો દુખાવો છે
- શું બેંક ખાનગીકરણની પ્રક્રિયા ખરેખર શરૂ થઈ ગઈ છે?

