મિત્રતાના દાવે લીધેલી રકમ 60,000 ચૂકવવા આપેલો ચેક વગર વસુલાતે પરત ફરવાના કેસ ચાલી જતા અદાલતે આરોપીને એક વર્ષની કેદ અને ચેક મુજબ વળતર ચૂકવવા હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ જામનગર ખાતે રહેતા તેજપાલસિંહ લખુભા ગોહિલ નામના યુવાન પાસેથી મિત્રતાના દાવે યુગલ જીતેન્દ્રભાઈ હીંગોરીયા નામના યુવાને આર્થિક કારણ 60000 રૂપિયા હાથ ઉછીના લીધા હતા જે રકમ ચૂકવવા માટે આપેલો ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે અદાલતમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદી ના એડવોકેટ ભાર્ગવ મહેતા દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવા અને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પ્રસ્થાપિત થયેલા ચુકાદાઓ રજૂ કરવામાં આવેલા ફરિયાદ પક્ષ પોતાનો કેસ કોર્ટ સમક્ષ સાબિત કરવામાં સફળ રહેલ હોય જે ધ્યાને લઈ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી આર દવે યુગલ જીતેન્દ્ર હીંગોરીયા ને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા અને ચેક મુજબની રકમનો દંડ કરવામાં આવેલ છે. આરોપી દંડની રકમ ચૂકવવામાંકસુર ઠરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. ફરિયાદી વતી એડવોકેટ તરીકે ભાર્ગવ પ્રફુલચંદ્ર મહેતા રોકાયા હતા
Trending
- Moti Paneli પંચાયત હસ્તકની મિલકતની ભાડેથી જાહેર હરાજી કરવામાં આવી
- Jamnagar: પીપર ગામમાં એક રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો: આરોપી ફરાર
- Jamnagar: એક વાડીની કાંટાળી તારમાં વીજ પ્રવાહ ચાલુ કરી દેવાથી એક યુવાનનું વિજ આંચકો લાગતાં મૃત્યુ
- Upleta: ખાખીજાળીયા ગામની સીમમાંથી જુગારની કલમ પકડાઈ, 11ની ધરપકડ
- Upleta: વડાળી ગામનો શખ્સ ચોરાઉ બાઈક સાથે ઝડપાયો
- Rajkot: જિલ્લામાં પાંચ સ્થળોએ જુગારના દરોડા, પાંચ મહિલા સહિત 27 શકુની ઝડપાયા
- Rajkot: લોક અદાલતમાં ૬૦ ટકા કેસનો સમાધાનથી નિકાલ
- Rajkot: ગાયત્રી નગર મેઇન રોડ પર બાઈક સાથે અકસ્માત બાદ સારવારમાં દમ તોડ્યો