Jamnagar,તા.20
જામનગર જિલ્લા ના કાલાવડ ના ડીલે અરજી અંગે દાદા માંગી હતી જે જિલ્લા કલેક્ટર દ્વારા રદ કરવામાં આવી છે.
કાનભાઈ ભગાભાઈ એ કાલાવડ ગામના સર્વે નંબર ૯૭૦ વાળી ખેતી ની જમીન માં જગાભાઈ ભગાભાઈ તથા લખમણ ભગાભાઈની પડેલી કૌટુમ્બીક વહેચણી ની નોંધ તથા બીન અવેજી રીલીઝ ડીડ ની નોધ સામે પ્રાંત અધિકારી જામનગર (ગ્રામ્ય) માં અપીલ કરી હતી. જે ડીલે અપીલ પ્રાંત અધિકારી જામનગરે રદ કરતાં તેની સામે કાનાભાઈ ભગાભાઈ એ કલેકટર જામનગરની કોર્ટ સમક્ષ રીવીઝન અરજી કરતાં જે રીવીઝન અરજી ચાલી જતાં સામાવાળા લખમણભાઈ ભગાભાઈ માટીયા વિગેરે ના વકીલની દલીલો તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટને ધ્યાને લઈ કલેક્ટર જામનગરે એવુ તારણ આપીને રદ કરેલ છે કે, વિલંબ હંમેશા માફ થવા પાત્ર જ હોય છે તેવુ કથન કરેલ છે. જે જોતાં આ કામના અરજદારે અત્રે વિલંબ માફ કરવા માટે નકકર કારણો કે માન્ય રાખી શકાય તેવા પુરાવાઓ રજુ કરવાને બદલે વિલંબ માફ કરવાની બાબત ને પોતાના અધિકાર તરીકે ગણાવે છે તે યોગ્ય નથી.
આ રીવીઝનમાં સામાવાળાઓ તરફે વકીલ યુસુફ એ. બ્લોચ તથા મુસીર એમ.બ્લોચ રોકાયા હતા.