Jamnagar,તા. ૧૮ ,
જામનગર ખંભાળિયા રેલવે માર્ગે લાખાબાવળ નજીક રેલવે ટ્રેક માં ક્રેક જોવા મળતા ટ્રેન ના પાયલોટે ટ્રેન ને થંભાવી દીધી હતી અને ધીમી ગતી એ પાસ કરી હતી. પરિણામે આ ટ્રેન જામનગર મા સવા કલાક મોડી પહોંચી હતી.
ઓખા થી આજે બપોરે ભાવનગર માટે રવાના થયેલી મુસાફર ટ્રેન લાખાબાવળ પહોંચતાં પહેલા રેલ્વે ટ્રેક માં ક્રેક જોવા મળ્યું હતું. આથી ટ્રેનના ચાલકે ટ્રેનને થંભાવી દીધી હતી .આ પછી એકાદ કલાકના રોકાણ બાદ ટ્રેન ને ધીમીગતિ એ પસાર કરવામાં આવી હતી. પરિણામે આ ટ્રેન જામનગર માં સવા કલાક મોડી પહોંચી હતી.
રેલ્વે અધિકારીના જણાવ્યા પ્રમાણે શિયાળામાં ઠંડીના કારણે રેલવે ટ્રેક માં ક્રેક નાં બનાવો બનતા રહે છે. આથી ચિંતા નો કોઈ વિષય નથી.