Jamnagar તા ૧૧
મૂળ બિહાર રાજ્યના વતની અને હાલ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટી ખાવડીમાં કરમશીભાઈ મોરીની ભાડા ની ઓરડીમાં રહીને મજૂરી કામ કરતા મનીષકુમાર અભિમન્યુ પાંડે નામના ૨૧ વર્ષના પરપ્રાંતીય વિપ્ર યુવાને ગઈકાલે પોતાની ઓરડીમાં કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે
આ બનાવ અંગે તેની સાથે જ રહેતા ધનંજય કુમાર ઉમેશ કુમાર પાંડેએ પોલીસને જાણ કરતાં મેઘપર ના એ.એસ.આઇ. એલ.જી. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.