Jamnagar,તા.23
જામનગર ની ન્યુ સાધના કોલોની વિસ્તારના ઘર વિહોણા બની ગયેલા ૫૧૦ પરિવારો કે જેમણે આજે જિલ્લા કલેકટર કચેરી સમક્ષ જઈને પોતાને ઘરભાડું અપાવવા અથવા તો રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરાવી આપવા માટે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. જામનગરમાં ન્યુ સાધના કોલોની આવેલી હતી. જેમાં ૫૧૦ જેટલા પરિવારો છેલ્લા ૨૦ વર્ષ થી ત્યાં વસવાટ કરતા હતા.
એક વર્ષ અગાઉ ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા જામનગર મહાનગરપાલિકા દ્વારા આ કોલોની નું ડિમોલેશન કરાયું હતું, જેમાં ૫૧૦ ગરીબ પરિવારો બે ઘર બની ગયા છે.હાલની પરિસ્થિતિમાં તમામ પરિવારો તદ્દન ખરાબ પરિસ્થિતિમાં છે, અને મકાનના ભાડા ભરી શકતા નથી, રોડ ઉપર રહેવું પડે તેવી તમામ પરિવારોની પરિસ્થિતિ છે.
આ બાબતની રજૂઆત અગાઉ સ્થાનિક કોર્પોરેટર થી માંડીને મુખ્યમંત્રી સુધી કરેલી છે. જેને આજ દોઢ વર્ષ થયા છતાં પણ હજુ સુધી આજની તારીખ સુધી કોઈ પણ જાતનો પ્રતિસાદ મળેલો નથી.હવે આત્મહત્યા કરવી પડે તે સિવાય અમારી પાસે કોઈ જ રસ્તો રહ્યો નથી, ત્યારે આપશ્રી ની કચેરી દ્વારા આ બાબત ધ્યાનમાં લઇ અમોને ઘર ભાડું અપાવવા અથવા વૈકલ્પિક જગ્યા કરી અપાવવા માંગણી કરાઈ છે.