Jamnagar તા. ૧૨,
જામનગરમાં ખંભાળિયા માર્ગે સમર્પણ હોસ્પિટલ વાળો એક તરફ નો માર્ગ ભૂગર્ભ ગટર ની કામગીરી માટે ત્રણ માસ માટે બંધ રાખવા કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે .
જામનગર મહાનગર પાલિકા ના કમિશનર ડી. એન. મોદી,એ ધ બી.પી.એમ.સી. એક્ટ ની કલમ ની જોગવાઈ હેઠળ મળેલ સતાની રૂએ જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી છે.જેમાં જામનગર મહાનગર પાલિકાની હદમાં સમર્પણ હોસ્પિટલ પાસે સમર્પણ સર્કલ થી જામનગર જામખંભાળિયા બાયપાસ સર્કલ સુધી ના રસ્તા પર આવેલ સ્વામીનારાયણ મંદિર ના ગેટ થી જામખંભાળિયા બાયપાસ સર્કલ સુધી જામનગર થી જામખંભાળિયા જતા રસ્તા ની મધ્યરેખા પર ના રોડ ડિવાઈડર ની દક્ષિણ દિશા તરફના રસ્તામાં ભુગર્ભ ગટરની મુખ્ય પાઈપ લાઈન નાખવાની કામગીરી અનુસંધાને સલામન્નીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા.૧૪-૦૭-૨૦૨૫ થી તા.૧૩-૧૦-૨૦૨૫ એટલે કે, ૩ માસ સુધી તમામ વાહન વ્યવહાર બંધ રાખવા આવશે. જેનો અમલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
..જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધી બી.પી.એમ.સી. એક્ટ ની કલમ અનુસાર દંડ ની કાર્યવાહી કરવામાં આવશે.
સમર્પણ હોસ્પિટલ પાસે સમર્પણ સર્કલથી જામનગર જામખંભાળિયા બાયપાસ સર્કલ સુધીના રસ્તા પર આવેલ સ્વામીનારાયણ મંદિરના ગેટ થી જામખંભાળિયા બાયપાસ સર્કલ સુધી જામનગરથી જામખંભાળિયા જતા રસ્તાની મધ્યરેખા પરના રોડ ડિવાઈડરની દક્ષિણ દિશા તરફનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે સમર્પણ હોસ્પિટલ પાસે સમર્પણ સર્કલથી જામનગર જામખંભાળિયા બાયપાસ સર્કલ સુધી જામનગરથી જામખંભાળિયા જતા રસ્તાની મધ્યરેખા પરના રોડ ડિવાઈડરની ઉતર દિશા તરફનો રસ્તો પરિવહન માટે ખુલ્લો રહેશે. તેમ કમિશ્નર જામનગર મહાનગર પાલિકા ની યાદી માં જણાવાયું છે.