Jamnagar તા. ૨૬
જામનગર માંથી ઝડપાયેલ એમ ડી (ડ્રગ) કેસ ના અનુસંધાને મુંબઈ ના ડ્રગ ડીલર ની પણ ધરપકડ કરવા માં આવી હતી. જેણે જામીન ઉપર મુક્ત થવા અદાલત માં અરજી કરી હતી. જે અદાલતે ના મંજૂર કરી છે.
આ કેસની વિગત એવી છે કે, નારકોટીક કન્ટ્રોલ બ્યુરો ( એનસીબી) અમદાવાદ ને બાતમી મળી હતી કે, જામનગર માં એમ.પી.શાહ ઉધોગનગર માં જગદિશ એન્જી. વર્કસ નામ નું કારખાનુ ઘરાવતા ભાસ્કર ભરતભાઈ વાડોદરીયા એ પોતાના કારખાના માં મેફેડ્રોન(એમ ડી) છુપાવેલ છે. આ બાતમી ને આધારે એનસીબી ના અધિકારીઓ એ કાયદાકીય કાર્યવાહી કરી ભાસ્કર વાડોદરીયા ના કારખાને રેઈડ કરતાં ૧૦ કિલો ૩૨૦ ગ્રામ મેફેડ્રોન મળી આવ્યુ હતું.
આ અન્વયે એન.સી.બી. ની ટીમે તપાસ કરતાં આ ગુન્હા નું પગેરૂ મુંબઈ થી મળી આવેલ અને તપાસ દરમ્યાન આ ગુન્હામાં સંડોવાયેલ કુલ આઠ આરોપીઓ ની અટક કરવામાં આવી હતી.
આ ગુન્હા ના મુખ્ય આરોપી ત્થા મુંબઈ ના કુખ્યાત ડ્રગ ડીલર મોહમદ ઈકરમઅલી ખત્રી એ પોતે કોઈ ગુન્હો કરેલ ન હોય, રેઈડ સમયે પોતે હાજર ન હોય, પોતા પાસે થી કોઈ મુદામાલ કબ્જે કરેલ ન હોય, પોતે ઉમર લાયક હોય, પરીવાર ની જવાબદારી પોતા પર હોય, લાંબા સમય થી જેલ માં હોય ત્યા પોતાને ખોટી રીતે ફસાવી ખોટો ગુન્હો દાખલ કર્યો છે, વિગેરે કારણો દર્શાવી જામનગર ની સ્પેશ્યલ અદાલતમાં જામીન પર છુટવા માટે અરજી કરી હતી.
આરોપી ની જામીનઅરજી નો વિરોધ કરતાં સરકાર તરફે એ.પી.પી. ધર્મેન્દ્ર એ. જીવરાજાની એ દલીલ કરેલ હતી કે, આરોપી આ ગુન્હા નો મુખ્ય તહોમતદાર છે, ડ્રગ મેન્યુફેકચર પાસે થી પોતે માલ ખરીદ કરી અને અન્ય આરોપી ને વેંચાણ અર્થે આપેલ છે, આજ ના યુગમાં દેશ ના યુવાન ઘન ને બરબાદ કરનાર ગંભીર ગુન્હા ના આરોપી ને માત્ર લાંબા સમયમાં જેલ માં હોય તેવા કારણસર જામીન પર મુકત કરી શકાય નહી.
હાલ ઘણા બધા જુના કેસો પેન્ડીંગ છે, જો આરોપી ને જામીન પર મુકત કરવામાં આવશે તો સાક્ષીઓને ઘમકી કે પ્રલોભન આપવાની શકયતાઓ રહેશે. આવા ગંભીર ગુન્હાના આરોપીને જામીન મુકત ન કરવા જોઈએ વિગેરે દલીલો ધ્યાને લઈ સ્પેશ્યલ જજ આર.વી.માંડણી એ ડ્રગ ડીલર ની જામીન અરજી ના મંજુર કરી હતી.
આ કેસ માં સરકાર તરફે એ.પી.પી. ધર્મેન્દ્ર એ. જીવરાજાની રોકાયા હતા.