Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મતદારયાદી સુધારણાના કામકાજના બોજથી Gir Somnath ના શિક્ષકની આત્મહત્યા

    November 21, 2025

    અમે દરેક ઘુસણખોરને પસંદગીપૂર્વક બહાર કાઢીશું, એસઆઇઆરએ દેશને સુરક્ષિત અને સ્વચ્છ બનાવવાની પ્રક્રિયા છે. Amit Shah

    November 21, 2025

    22 નવેમ્બર નું પંચાંગ

    November 21, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મતદારયાદી સુધારણાના કામકાજના બોજથી Gir Somnath ના શિક્ષકની આત્મહત્યા
    • અમે દરેક ઘુસણખોરને પસંદગીપૂર્વક બહાર કાઢીશું, એસઆઇઆરએ દેશને સુરક્ષિત અને સ્વચ્છ બનાવવાની પ્રક્રિયા છે. Amit Shah
    • 22 નવેમ્બર નું પંચાંગ
    • 22 નવેમ્બર નું રાશિફળ
    • “મારા ભાઈએ Karishma સાથે ખરાબ વર્તન કર્યું ન હતું,” સ્વર્ગસ્થ ઉદ્યોગપતિની બહેન કહે છે
    • બાળાસાહેબ ઠાકરેની પૌત્રી Aishwarya Thackeray યશ રાજની એક્શન ફિલ્મમાં પ્રવેશ કરતી અહાન પાંડે સામે ટકરાશે
    • હજુ પણ દરરોજ ભય, ચિંતા અને શારીરિક અસ્વસ્થતા અનુભવું છું.,Dipika Kakkar
    • Mouni Roy તાજેતરમાં જ તેની સાથે બનેલી એક ચિંતાજનક ઘટનાનો ખુલાસો કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»કાલે બોળચોથની ઉજવણી સાથે Janmashtami festival નો શુભારંભ
    રાજકોટ

    કાલે બોળચોથની ઉજવણી સાથે Janmashtami festival નો શુભારંભ

    Vikram RavalBy Vikram RavalAugust 11, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.11

    કાનુડાના જન્મ વધામણાના દિવ્ય અવસરની ઉજવણીનો આવતીકાલ તા.12ના મંગળવારથી બોળચોથ- અંગારકી ચોથ સાથે થઈ રહ્યો છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીનો થનગનાટ વ્યાપી ગયો છે. રજાઓનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોમાં કૃષ્ણ જન્મોત્સવ મનાવવા અનેરો થનગનાટ છે.

    જન્માષ્ટમી પર્વની ઉજવણીનો પ્રારંભ કાલ તા.12ના મંગળવારથી થઈ રહ્યો છે. કાલે બોળચોથ તથા અંગારકી ચોથ ઉજવાશે. બોળચોથને બહુલા ચોથ પણ કહેવાય છે નિયમ પ્રમાણે દરેક પંચાંગ અનુસાર કાલે જ બોળચોથ મનાવવાની રહેશે.

    તા.13મીના બુધવારે નાગપાંચમની ઉજવણી થશે. લોકો નાગ પાંચમના નાગ દેવતાની પૂજા કરશે. તા.14મીના ગુરૂવારે રાંધણ છઠ્ઠ ઉજવાશે. લોકો રાંધણ છઠ્ઠના દિવસે રસોઈ બનાવશે જેમાં ફરાળી વાનગીઓ બનાવીને બીજે દિવસે આરોગશે. તા.15મી ઓગષ્ટના શીતળા સાતમનો તહેવાર ઉજવાશે. મહિલાઓ શીતળા માતાના મંદિરે જઈને શ્રીફળ અને કુલેર ધરશે અને પોતાના સંતાનના આરોગ્ય માટે માતા સમક્ષ પ્રાર્થના કરશે. આ દિવસે રાંધણ છઠ્ઠના કરેલી વાનગીઓ આરોગશે. મોટાભાગના લોકો એકટાણા કરશે.

    તા.16મીના શનિવારે અનેરા ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવાશે જન્માષ્ટમી પર્વ. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં વિવિધ શહેરો અને ગામોમાં જન્માષ્ટમી નિમિતે શોભાયાત્રાના આયોજનો થયા છે.

    તેમાંય રાજકોટની વિહિપ પ્રેરિત જન્માષ્ટમી શોભાયાત્રા નિહાળવા બહારગામના લોકો પણ આવતા રહે છે. મંદિરો, હવેલીઓમાં આ દિવસે કાનુડાના જન્મ વધામણા થાય છે. રાતના 12 વાગે અનેરા ઉલ્લાસ અને ઉમંગ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે.

    દ્વારકા, ડાકોર, મથુરા, વૃંદાવન સહિતના ભગવાન શ્રી કૃષ્ણના મંદિરોમાં રાત્રે 12 વાગે કાનુડાના જન્મ વધામણા અનેરા ઉલ્લાસ સાથે કરવામાં આવશે. દ્વારકા, ડાકોરમાં હજારો ભકતો કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવમાં ઉમટી પડશે. ‘જય કનૈયા લાલ કી’નો જયનાદ ગુંજી ઉઠશે.

    જન્માષ્ટમી પર્વને લઈને અનેક લોકો ફરવા નીકળી જશે. આ વખતે તા.15મી ઓગષ્ટના સ્વતંત્ર દિનની રજા હોવાથી ચાર દિવસની રજા એક સાથે આવતી હોવાથી લોકોએ અગાઉથી બુકીંગ કરાવી લીધા છે.

    કાલે ગૌમાતા પૂજનનુ મહાત્મય દર્શાવતુ પર્વ : બોળચોથ

    એક પૌરાણિક માન્યતા પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાન ને બહુલ નામ ની ગાય બહુ પ્રીય હતી આથી શ્રીકૃષ્ણ ભગવાને બહુલા ગાયને વરદાન આપેલું કે શ્રાવણ વદ ચોથના દિવસે તારું પૂજન થશે આથી આ દિવસે ગાય પુજા નુ મહત્વ વધારે છે. ગાય મા તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. આમ ગાયની સેવા પુજા કરવાથી દરેક ભગવાનની પુજા થાય છે

    .

    ગાયની પુજા અને સેવા કરવાથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ રહે છે, ભાગ્યોદય થાય છે.

    ખાસ કરીને બોળચોથના દિવસે ગાયને નવી ઝુલ, ઘંટડી અને ગાયને શણગારથી શણગારી ગાયને ઘાસ નાંખવું, ગાયની પુજા કરવી સાથે બીજા લોકોને પણ પુજા કરવાની પ્રેરણા આપવી, આ દિવસે ગાય અને વાછરડાનું પુજન કરવું.બોળચોથના દિવસે ખાંડવું નહી, દળવું નહી, છરી-ચપ્પુનો ઉપયોગ ન કરવો તે ઉપરાંત આ દિવસે રસોઈમાં ઘઉંનો ઉપયોગ ન કરવો.

    આ દિવસે વ્રત રહેવું બોળ ચોથ ની કથા વાંચવી અથવા સાંભળવી. પહેલાના જમાનામાં ગાયો વગરનું એક પણ ઘર હતું નહી. જેની પાસે ગાયો વધારે તે વધારે ધનવાન ગણાતા, સવારના સમયે ગૌસેવા થતી, પુરાણોમાં જોઈએ તો ઋષિ મુની પણ ગાયો રાખતા અને ભગવાન શ્રી કૃષ્ણે પણ ગૌ સેવા કરેલી.

    ભાગ્યોદય અને પ્રગતિ માટે દરરોજ અથવા દર ગુરૂવારે સોમવારે પોતાની બંને હથેળીમાં ગોળચોળી અને ગાયને હથેળી ચાટવા આપવી. આમ કરવાથી જીવનના બધા જ દોષ દુર થાય છે. જો કે આ વિધી કરવામાં શાંત ગાયને ગોતવી. ગાયને ઘાસ નાંખવાથી પિતૃઓને મોક્ષગતી મળે છે. ઘરમાં સુખ શાંતિમાં વધારો થાય છે. ગાયોની સેવા કરવાથી બીમારીમાંથી મુક્તિ મળે છે.
    (શાસ્ત્રી રાજદીપ જોષી(વેદાત રત્ન) રાજકોટ)

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    જો મોક્ષની ઇચ્છા હોય તો વિષયોને વિષની સમાન દૂરથી જ ત્યજી દેવા જોઇએ

    November 21, 2025
    ધાર્મિક

    જે મનુષ્ય કામના,સ્પૃહા,મમતા અને અહંકાર છોડે છે તેને શાંતિ પ્રાપ્ત થાય છે

    November 21, 2025
    લેખ

    પીપળાનું મહત્વ

    November 21, 2025
    મનોરંજન

    Rajkot સાંસદ અને અભિનેત્રી Kangana Ranautનું સ્વાગત કરતા ધારાસભ્ય રાદડીયા

    November 21, 2025
    રાજકોટ

    Rajkot મહાપાલિકાના રૂા. 2 લાખ કરોડથી વધુના ભંડોળનું `ઓડિટ’ જ થયું નથી

    November 21, 2025
    રાજકોટ

    Rajkot બાર એશોસીએશન દ્વારા જુનિયર એડવોકેટ માટે લીગલ અવેરનેસ માટેનું આયોજન

    November 21, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મતદારયાદી સુધારણાના કામકાજના બોજથી Gir Somnath ના શિક્ષકની આત્મહત્યા

    November 21, 2025

    અમે દરેક ઘુસણખોરને પસંદગીપૂર્વક બહાર કાઢીશું, એસઆઇઆરએ દેશને સુરક્ષિત અને સ્વચ્છ બનાવવાની પ્રક્રિયા છે. Amit Shah

    November 21, 2025

    22 નવેમ્બર નું પંચાંગ

    November 21, 2025

    22 નવેમ્બર નું રાશિફળ

    November 21, 2025

    “મારા ભાઈએ Karishma સાથે ખરાબ વર્તન કર્યું ન હતું,” સ્વર્ગસ્થ ઉદ્યોગપતિની બહેન કહે છે

    November 21, 2025

    બાળાસાહેબ ઠાકરેની પૌત્રી Aishwarya Thackeray યશ રાજની એક્શન ફિલ્મમાં પ્રવેશ કરતી અહાન પાંડે સામે ટકરાશે

    November 21, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મતદારયાદી સુધારણાના કામકાજના બોજથી Gir Somnath ના શિક્ષકની આત્મહત્યા

    November 21, 2025

    અમે દરેક ઘુસણખોરને પસંદગીપૂર્વક બહાર કાઢીશું, એસઆઇઆરએ દેશને સુરક્ષિત અને સ્વચ્છ બનાવવાની પ્રક્રિયા છે. Amit Shah

    November 21, 2025

    22 નવેમ્બર નું પંચાંગ

    November 21, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.