Ahmedabad, તા.17
જસદણના ચકચારી ગેંગરેપના આરોપી અને ભાજપના કાર્યકર પરેશ રાદડિયાના જામીન રદ કરવા માટે પીડિતા તરફથી હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે. આ કેસ બુધવારે જસ્ટિસ એમ.આર. મેંગડેની કોર્ટ સમક્ષ ચાલ્યો હતો અને પ્રાથમિક સુનાવણી બાદ જસ્ટિસ મેંગડેએ આરોપી પરેશ રાદડિયાને નોટિસ પાઠવી કેસની વધુ સુનાવણી 17મી ડિસેમ્બરના રોજ મુકરર કરી છે.
પ્રસ્તુત કેસમાં પીડિતા વતી એડવોકેટ આનંદ યાજ્ઞિક હાજર રહ્યા હતા. જેમણે કોર્ટને જણાવ્યું હતું કે, દેશની સર્વોચ્ચ અદાલતના ચુકાદા મુજબ પીડિતાને પણ જામીનના કેસમાં ભાગ લેવાનો અધિકાર છે, પરંતુ રાજકોટ સેશન્સ જજે પીડિતાને એ માટે વાજબી તક આપી ન હતી. કોર્ટની કાર્યવાહીના એકદિવસ પહેલાજ આટકોટ પોલીસ તરફથી પીડિતાને એક સૂચના મળી હતી.
એટલું જ નહીં, વર્ષ 2013 પછી ’બળાત્કાર’ની વ્યાખ્યા બદલાઈ ગઈ છે અને યૌન ગુનાઓમાં સમાન રીતે ભાગ લેતા અન્ય આરોપીઓને પણ મદદ કરવી બળાત્કાર સમાન છે અને હાલનો કેસ સામુહિક બળાત્કારનો છે, જે ખૂબ જ ઘૃણાસ્પદ છે. પ્રસ્તુત કેસમાં આરોપી સામે એવો આક્ષેપ છે કે તેણે રેપ દરમિયાન પીડિતાના પગ પકડી રાખી ગુનામાં મદદગારી કરી હતી. તેમ છતાં તેમને જામીન આપવામાં આવ્યા છે.
વધુમાં એવી રજૂઆત કરવામ.. આવી હતી કે, સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલા કાયદાના સિદ્ધાંતથી વિપરીત જઈને રાજકોટ સેશન્સ કોર્ટે જામીન આપતી વખતે એવું નોંધ્યું હતું કે, જામીનના સ્ટેજ પર મામલાનો ઉંડાણપૂર્વકનો અભ્યાસ ન કરી શકાય. વળી, તેમણે શંકાનો લાભ આપતાં આરોપીને જામીન પણ આપ્યા હતા. ઋઈંછ કરવામાં વિલંબ થયાના આધારે ગુનો બન્યો જ નહોતો એવું સિદ્ધ થઈ શકે નહીં.
પીડિતાને મળતી ધાકધમકીને લીધે FIRમાં વિલંબ થયાની બાબત પણ FIRમાં લખવામાં આવી હતી, તેમ છતાં આરોપીને શંકાનો લાભ આપી કોર્ટે જામીન આપ્યા છે. તેથી આવા સંજોગોમાં નીચલી અદાલતની ભૂલોને ધ્યાનમાં લેતાં આરોપી રાદડિયાના જામીન રદ કરવા જોઈએ.
રાજકોટના જસદણ તાલુકાના આટકોટ ખાતે ડી.બી. ક્ધયા છાત્રાલયમાં રેક્ટર તરીકે ફરજ બજાવતી મહિલાએ રાદડિયા અને અન્ય એક આરોપી મધુભાઇ ટાઢાણી પર રેપના આક્ષેપ લગાવ્યા છે. વર્ષ 2019થી 2024 સુધી પીડિતા આ છાત્રાલયમાં જ રહેતા હતા ત્યારે જુલાઇ 2023માં ટાઢાણીએ તેમને બોલાવ્યા હતા અને ત્યારબાદ ટાઢાણી અને રાદડિયા બંને રૂમમાં આવ્યા હતા અને પીડિતાની છેડતી કરી હતી.
ત્યારબાદ આરોપીઓએ તેને પકડી રાખી વારાફરતી રેપ કર્યો હતો. ગુનો આચર્યા બાદ જતી વખતે તેમણે પીડિતાને ધમકાવી હતી કે, તેઓ રાજકારણ અને પોલીસમાં વગ ધરાવે છે અને વગદાર વ્યક્તિઓ છે, તેથી જો કોઇને ઘટના વિશે જણાવશે તો તેને અને તેના કુટુંબને જાનથી મારી નાખશે. આ પછીથી પણ એક યા બીજા બહાને પીડિતાની રૂમ પર આવીને આરોપીઓએ ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું હતું. ચકચારી સામુહિક રેપ કેસમાં પીડિતાએ ભાજપનાં કાર્યકર અને આરોપીની જામીન અરજી રદ કરવા હાઇકોર્ટમાં દાદ માંગી છે.