Jetpur તા.૨૩
જેતપુર પ્રાંત અધિકારી પટોળીયા સાહેબ અને શ્રી જેતપુર ડાંઈગ પ્રિન્ટીંગ એસો. દ્વારા જેતપુર ખાતે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ‘‘જળ એ જ જીવન‘‘નુ સૂત્ર સાર્થક થાઈ તેના માટે વધુમાં વધુ કારખાનામાં બોર રીચાર્જ થાય અને જમીનના જળ સ્ત્રાવ ઊંચા આવે એ બાબતે તમામને માહિતગાર કર્યા ને જિલ્લા કક્ષાએથી આપવામાં આવેલ લક્ષ્યાંક અનુસાર આયોજન કરવામાં આવ્યું હતું.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા દ્વારા વરસાદી પાણીનું લોકભાગીદારીથી કઈ રીતે જળસંચયના કાર્ય કરી શકાય તેવી ટેકનીકલ માહિતી આપી અને વધારેમાં વધારે લોકો લોકભાગીદારીથી આ કાર્યમાં જોડાઈ.મામલદારશ્રી પટોળીયા સાહેબ દ્વારા જે મિટિંગનું આયોજન થયેલું તેમાં દરેક કારખાને દાર પોતાના કારખાનામાં વરસાદી પાણી બચે તેના માટે પાણીનો ટાંકો અને રીચાર્જ બોર કરે તો તેના ફાયદા માટે ખુબ સુંદર માહિતી આપી.
શ્રી જેતપુર ડાંઈગ પ્રિન્ટીંગ એસો. ના પ્રમુખશ્રી જેન્તીભાઈ રામોલીયા દ્વારા દરેક કારખાનાના માલિકોને વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા કારખાના રૂફ ઉપરનું પાણી વધુમાં વધુ વિશાળ પાણીના ટાંકા બનાવી અને સ્ટોરેજ કરીએ તેનું ઓવરફલો નું પાણી રીચાર્જ માટે બોર કરી જમીનના તળમાં પાણીના લેવલ ઊંચા આવે તો જેતપુર વિસ્તારમાં કેમિકલ વાળા પાણીથી છુટકારો મળે તો આરોગયમાં ખુબ મોટો ફાયદો થાશે. જેતપુર એસો.ના પ્રમુખશ્રી એ પણ એસો. દ્વારા એક વિશાળ સરોવર બનાવવાની જાહેરાત કરી હતી.
સમગ્ર સૌરાષ્ટ્રમાં સંપૂર્ણ લોકભાગીદારીથી પૃથ્વીના સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે જમીનના તળમાં બોર-કુવામાં વરસાદી મીઠા પાણીનાં તળ ઊંચા લાવવા, માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૨ વર્ષમાં ૨૦૦ થી વધુ ચેકડેમો રીપેરીંગ ઊંચા ઊંડા તેમજ નવા બનાવ્યા છે. અને તેનાથી અસંખ્ય ખેડૂતો , સમગ્ર માનવ જીવન અને પ્રકૃતિનાં કરોડો જીવોને વર્ષો ના વર્ષો સુધી ફાયદો થતો રહે તેના માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવા અને ૧૧,૧૧૧ બોર રીચાર્જ નો સંકલ્પ કરવામાં આવ્યો છે.