Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કામના-મમતા અને તાદાત્મયના લીધે શરીર સાથે એકતા પ્રતિત થાય છે

    October 14, 2025

    બાબા ઈશ્વર શાહના અનંત અમૃત વર્ષગાંઠ સાથે, કરુણાનો પ્રકાશ ભક્તોના હૃદયમાં ઉતર્યો

    October 14, 2025

    ક્રોધ એ જુસ્સાનું એક ભયંકર સ્વરૂપ છે,જ્યારે વાસનામાં હોય છે,ત્યારે તે વ્યક્તિને સૌથી ઘૃણાસ્પદ ગુનાઓ કરવા માટે પ્રેરે છે

    October 14, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કામના-મમતા અને તાદાત્મયના લીધે શરીર સાથે એકતા પ્રતિત થાય છે
    • બાબા ઈશ્વર શાહના અનંત અમૃત વર્ષગાંઠ સાથે, કરુણાનો પ્રકાશ ભક્તોના હૃદયમાં ઉતર્યો
    • ક્રોધ એ જુસ્સાનું એક ભયંકર સ્વરૂપ છે,જ્યારે વાસનામાં હોય છે,ત્યારે તે વ્યક્તિને સૌથી ઘૃણાસ્પદ ગુનાઓ કરવા માટે પ્રેરે છે
    • India-UK નવી આર્થિક ભાગીદારીની વાર્તા-PM કીર સ્ટાર્મરની ઐતિહાસિક સફળ ભારત મુલાકાત
    • તંત્રી લેખ…ભારતે તમામ મોરચે સતર્ક રહેવું જોઈએ
    • 15 ઓક્ટોબર નું પંચાંગ
    • 15 ઓક્ટોબર નું રાશિફળ
    • Saiyaraaએકટ્રેસ અનિત પડ્ડાનું પહેલું રેમ્પ વોક કર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»John Abraham and Randeep Hooda ને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ભવિષ્યની ચિંતા
    મનોરંજન

    John Abraham and Randeep Hooda ને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ભવિષ્યની ચિંતા

    Vikram RavalBy Vikram RavalApril 2, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઘેટાશાહી જેવી જડ માનસિકતાના કારણે અન્ય મેકર્સને કંઈ અલગ કરવાની સ્વતંત્રતા મળતી નથીઃ જોન અબ્રાહમ

    Mumbai, તા.૨

    બે અઠવાડિયા પહેલા પ્રમોશનની ધામધૂમ વગર જોન અબ્રાહમની ફિલ્મ ધ ડિપ્લોમેટ રિલીઝ થઈ હતી. ફિલ્મને ઠીકઠાક રિસ્પોન્સ મળ્યો હતો, પરંતુ જોનની ચિંતા પોતાની એક ફિલ્મ પૂરતી મર્યાદિત નથી. વર્તમાન સમયમાં બની રહેલી હિન્દી ફિલ્મો અને સ્ટીરિટો ટાઈપ સ્ટોરી-કેરેક્ટરના કારણે બે દમદાર એક્ટર જોન અબ્રાહમ અને રણદીપ હુડાને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. હિન્દી ફિલ્મોમાં છવાયેલી ઘેટાશાહી જેવી માનસિકતાના કારણે સારી ફિલ્મો ન બનતી હોવાનું તેઓ માને છે. જોન અબ્રાહમે વર્તમાન સમયમાં બોલિવૂડ કન્ટેન્ટ અને સોશિયલ મીડિયાની ટીકાઓની અસર અંગે વાત કરતાં કહ્યું હતું કે, આ સમગ્ર સ્થિતિ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ડરામણી છે. કંઈક અલગ કરવાનો ઝંડો મેં નથી ઊપાડ્યો, પરંતુ અમારા જેવા કેટલાક લોકો અલગ કરવા માગે છે. પોતે કમર્શિયલ હીરો હોવાનું સ્વીકારતા જોને કહ્યું હતું કે, કમર્શિયલ રહેવા ઉપરાંત અમારે કંઈક અલગ કરવું છે, તો અમને તેવું કરવાની સ્વતંત્રતા મળવી જોઈએ. અલગ કરવા માટે વધારે મહેનતાણુ મળતું થાય તો ઈન્ડસ્ટ્રી તરીકે સૌનો વિકાસ થાય. જોન અબ્રાહમની ‘ધ ડિપ્લોમેટ’ને બોક્સઓફિસ પર રૂ.૩૦ કરોડનં કલેક્શન મળ્યુ હતું. ભારત-પાકિસ્તાનના સંબંધો આધારિત આ ફિલ્મમાં જોને ભારતના રાજદૂતનો રોલ કરેલો છે, જે પાકિસ્તાનમાં ફસાયેલી ભારતીય મહિલાને બચાવવા પ્રયાસ કરે છે.  જોન અબ્રાહમની જેમ રણદીપ હુડા પણ બોલિવૂડની ટ્રેન્ડ ફોલોઈંગ માનસિકતાને પસંદ કરતો નથી. રણદીપને સ્ટોરીટેલિંગ બાબતે સાઉથના ફિલ્મમેકર્સ વધારે ઓથેન્ટિક લાગે છે, કારણ કે તેઓ પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે છે. હુડાએ કહ્યું હતું કે, બોલિવૂડ માટે નિરાશાજનક સમય છે. વર્ષમાં માંડ બે ફિલ્મો સફળ રહે છે. બોલિવૂડમાં અત્યારે ઘેટાશાહી ચાલી રહી છે. સોશિયલ મીડિયા ટ્રેન્ડ સેટ કરે છે. રી-રિલીઝમાં એક-બે ફિલ્મોએ સારું પ્રદર્શન કર્યું, તો દરેક રી-રિલિઝ સફળ થાય તે જરૂરી નથી. કોઈ એક અખતરો સફળ રહે તો બધા તેને ફોલો કરે છે. બધાને એવું જ બનાવવું છે. ‘સ્ત્રી’ પછી બધાને હોરર કોમેડી બનાવવાનો ચસકો ઉપડ્યો છે. એક વસ્તુ સફળ થાય એટલે બધા લોકો તે માપદંડ અપનાવે છે. બધા એક બંધિયાર વાતાવરણમાં જકડાઈ ગયા છે અને ત્યાં નવા અખતરા માટે મોકળાશ રહેતી નથી.  હુડાએ ફિલ્મી જગતની બંધિયાર માનસિકતા વચ્ચે ઓટીટી પ્લેટફોર્મ્સ પર સ્ટોરી ટેલિંગ બાબતે સ્વતંત્રતા મળતી હોવાનું સ્વીકાર્યું છે. હુડાએ કહ્યું હતું કે, ઓટીટી પર ઓડિયન્સને પસંદ આવે અને સબસ્ક્રિપ્શન વધારે તેવા કન્ટેન્ટને પસંદ કરવામાં આવે છે. મેઈનસ્ટ્રીમ અને એક્સપ્રિમેન્ટલ પ્રોજેક્ટ્‌સ વચ્ચે સંતુલન સાધવાનું જરૂરી છે. સાઉથની ઈન્ડસ્ટ્રીના વખાણ કરતાં હુડાએ કહ્યું હતું કે, તેઓ મૂળભૂત માનવીય લાગણી સાથે જોડાયેલી ફિલ્મો બનાવે છે. પુષ્પાના સિક્સ પેક એબ્સ નથી. તેની દાઢી વધેલી છે અને ખભો નમેલો છે. આમ છતાં ઓડિયન્સને તે પોતાનો લાગે છે. કેટલાક કહેવાતા મોટા એક્ટર્સ પોતાના કેરેક્ટરને ડેવલપ કરવાના બદલે એબ્સ બનાવવા મહેનત કરે છે. રણદીપે આગામી ફિલ્મ ‘જાટ’માં ક્રૂર વિલન રણતુંગાનો રોલ કર્યો છે. આ ફિલ્મમાં સની દેઓલ, રેજિના કસાન્દ્રા, આયેશા ખાન, સૈયામી ખેર, ઝરીના વહાબ મહત્ત્વના રોલમાં છે. આ ફિલ્મ ૧૦ એપ્રિલે રિલીઝ થવાની છે.

    John Abraham Randeep Hooda
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Saiyaraaએકટ્રેસ અનિત પડ્ડાનું પહેલું રેમ્પ વોક કર્યું

    October 14, 2025
    મનોરંજન

    દિવાળીના તહેવારમાંરિલીઝ થશે મેગા ફેમિલી એન્ટરટેઈનર ગુજરાતી ફિલ્મ-’’Chaniya Toli’

    October 14, 2025
    મનોરંજન

    Web Series “સર્ચ : ધ નૈના મર્ડર કેસ” માં કોંકણાનો અભિનય શાનદાર

    October 14, 2025
    મનોરંજન

    ગ્લોબલ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચતી ‘Kantara Chapter 1’ ફિલ્મ

    October 14, 2025
    મનોરંજન

    Actress Alia એ ૬ વર્ષની ઉમરે કેમેરાનો સામનો કર્યો

    October 11, 2025
    મનોરંજન

    ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ફરી કમબેક કરશે ‘Sodhi’

    October 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કામના-મમતા અને તાદાત્મયના લીધે શરીર સાથે એકતા પ્રતિત થાય છે

    October 14, 2025

    બાબા ઈશ્વર શાહના અનંત અમૃત વર્ષગાંઠ સાથે, કરુણાનો પ્રકાશ ભક્તોના હૃદયમાં ઉતર્યો

    October 14, 2025

    ક્રોધ એ જુસ્સાનું એક ભયંકર સ્વરૂપ છે,જ્યારે વાસનામાં હોય છે,ત્યારે તે વ્યક્તિને સૌથી ઘૃણાસ્પદ ગુનાઓ કરવા માટે પ્રેરે છે

    October 14, 2025

    India-UK નવી આર્થિક ભાગીદારીની વાર્તા-PM કીર સ્ટાર્મરની ઐતિહાસિક સફળ ભારત મુલાકાત

    October 14, 2025

    તંત્રી લેખ…ભારતે તમામ મોરચે સતર્ક રહેવું જોઈએ

    October 14, 2025

    15 ઓક્ટોબર નું પંચાંગ

    October 14, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કામના-મમતા અને તાદાત્મયના લીધે શરીર સાથે એકતા પ્રતિત થાય છે

    October 14, 2025

    બાબા ઈશ્વર શાહના અનંત અમૃત વર્ષગાંઠ સાથે, કરુણાનો પ્રકાશ ભક્તોના હૃદયમાં ઉતર્યો

    October 14, 2025

    ક્રોધ એ જુસ્સાનું એક ભયંકર સ્વરૂપ છે,જ્યારે વાસનામાં હોય છે,ત્યારે તે વ્યક્તિને સૌથી ઘૃણાસ્પદ ગુનાઓ કરવા માટે પ્રેરે છે

    October 14, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.