Junagadh તા.7
ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાને હવે આંગળીના વેઢે ગણાય તેટલા દિવસો બાકી છે ત્યારે પરિક્રમાર્થીઓને ભરપેટ ભોજન જમાડવા માટે સ્વૈચ્છીક અન્નક્ષેત્રો તેમની સેવા આપવા પોતાનો માલ સામાન સરસીધુ ટ્રક મારફત ગિરનારના રૂટ પર લઈ જતા વન વિભાગે તેની જંગલીયત બતાવી રૂટ પર અટકાવાયા હતા. પરિણામે ઉતારા મંડળ લાલઘુમ બન્યું છે જેની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત થવા પામી છે.
આગામી તા.12/11ના ગિરનારની 36 કિ.મી.ની પરિક્રમા શરૂ થઈ રહી છે. જેમાં લાખોની સંખ્યામાં ભાવિકો જંગલમાં 5 દિવસ રહીને શીવ સાથે જીવને જોડવા દુનિયાની આધી વ્યાધી ઉપાધી છોડી અહીં રાત દિવસ રહી ભજન-ભોજન ક્રતા હોય છે તેઓને માટે ભોજનની વ્યવસ્થા પુરી પાડવા અન્નક્ષેત્રો વિનામૂલ્યે ગરમા ગરમ ભોજન ચા પાણી નાસ્તો કરાવવા પોતાનો માલ સામાન ટ્રકો મારફત ગિરનારની પરિક્રમા રૂટ પર લઈ જાય છે.
પરંતુ જંગલ ખાતાનું જંગલીપણું રૂટ પર પ્રવેશ ન અપાતા ઉતારા મંડળ લાલઘુમ બની ઉતારા મંડળના સંચાલક ભાવેશભાઈ વેકરીયાના જણાવ્યા મુજબ હવે 4 દિવસ પરીક્રમાને બાકી છે ત્યારે ઉતારા મંડળો મંડપ માલ સામાન સીધુ ભરીને લાવ્યા છે ત્યારે વન વિભાગ અંદર જવાની મનાઈ ફરમાવે છે. વન વિભાગના ગેઈટ ચેકપોસ્ટ પર ટ્રકોની લાઈન ઉભી છે ત્યારે જંગલ ખાતાની જંગલીયત અંદર ટ્રકને જવા દેતી નથી કલેકટરનો હુકમ પણ વન વિભાગ ઘોળીને પી ગઈ છે.
જેની મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે. વન વિભાગ કહે છે કે પરિક્રમા શરૂ થવાના બે દિવસ પહેલા રૂટ પરની પરમીશન અપાય છે. 12મીનાં પરિક્રમા શરૂ થશે એટલે 10મીના પ્રવેશ મંજુરી મળી જશે. કલેકટરની સૂચના 8મીના અપાઈ છે તે અમારે ધ્યાને નથી. ભાવેશભાઈ વેકરીયાએ જણાવ્યું છે કે પરિક્રમામાં ભજન ભોજન મહત્વના છે. સનાતન ધર્મની પરંપરા છે ગીરનાર અમારો સનાતન છે અમે સનાતનની પરંપરા માટે કરીએ છીએ સનાતનની પરંપરાને જીવીત રાખવા અમારી કુરબાની પણ અમને મંજુર છે પરંતુ અન્યાય સહન નહીં જ કરીએ.
ધારાસભ્ય: ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું છે કે ગિરનારની પરંપરા વર્ષો જુની પરિક્રમા છે સંસ્થાઓ સેવા માટે જોડાયેલી છે. માટે વિવાદ ન થાય તે જરૂરી છે. વહીવટી તંત્રએ જવાબદારી લઈ ફેરફાર કરવો જરૂરી છે વ્યવસ્થાની જવાબદારી લેવી જોઈએ.
ઉતારા મંડળ
આજરોજ ગિરીવર ગિરનારની લીલી પરિક્રમા 2024 બાબતે પરિક્રમાને ફકત 5 દિવસની વાર હોવા છતા વન વિભાગ દ્વારા અન્નક્ષેત્રોને મંડપનો સામાન અંદર લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવેલ છે તે અમલદારશાહીનો ઉતમ નમુનો છે. ગિરનાર અમારો સનાતન છે અમો સનાતન પરંપરાને જીવીત રાખવા માટે કુરબાની આપવી પડશે તો આપી દેશું પરંતુ અન્યાય સહન નહીં કરીએ. અમો ઉતારા મંડળ ભવનાથ વન વિભાગની આ આપખુદશાહીનો વિરોધ નોંધાવીએ છીએ તેમ ભાવેશ વેકરીયાએ જણાવ્યું છે.