Junagadh તા.16
જુનાગઢ માર્કેટીંગ યાર્ડમાં 7 દિવસ દરમ્યાન 9279 કિવન્ટલ સોયાબીનની આવક નોંધાઈ છે. જેમાં ઉંચો ભાવ 905 બોલાયા હતા. મગફળી નવીનો એક જ દિવસમાં 20 કીલોએ 1.935નો વધારો થયો છે.
નવરાત્રી દરમ્યાન ઓરવેલી મગફળી (જાડી) પાછલા અઠવાડીયે આવક નોંધાઈ છે. જીણી મગફળીની આવક હજુ નોંધાઈ નથી. ગઈકાલે યાર્ડમાં 447 કિવન્ટલ મગફળીની આવક સામે ભાવ ઉંચામાં 1120 બોલાયા હતા. ગઈકાલે જીણી મગફળી 150 કિવન્ટલની આવક થઈ છે. જેનો 2040નો ભાવ બોલાયો હતો. 4479 જાડી મગફળીના સાત દિવસ દરમ્યાન 1130નો ભાવ બોલાયો હતો. બે દિવસથી જીણી મગફળીની 400 કિવન્ટલની આવક થઈ છે.
જેમાં ભાવ 2040 બોલાયો હતો. 66 નંબરની મગફળીનો ભાવ સર્વાધિક ખેડૂતોને મળી રહ્યો છે. તેની તેલની ટકાવારી ગુણવતા સારી હોય છે. જુનાગઢમાં પોરબંદર રાજકોટના અમુક ગામડાઓ ગીર સોમનાથથી અહીં વેચવા આવે છે. મગફળી બહાર કાઢવાના સમયે માવઠા રૂપી વરસાદ નુકશાની કરી રહ્યો છે. પાથરા પાણીમાં તરી રહેતા જોવા મળતા હતા જે નુકશાની ખેડૂતોને ભોગવવી પડી રહી છે.