Rajkot,તા.19
જૂનાગઢ-ગીર સોમનાથ જિલ્લા લેઉવા પટેલ સમાજ, રાજકોટ દ્વારા ઉપરોક્ત ત્રિવિધ કાર્યક્રમ તા.20/10/24ને રવિવારે સમન્વય પાર્ટી લોન્સ, કણકોટ રોડ, રાજકોટ ખાતે સંપન્ન થનાર છે. પંદરવર્ષથી દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
તેજસ્વી તારલાઓની સિદ્ધિને બિરદાવીને સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રનિર્માણ માટેનો આ ભગીરથ પ્રયત્ન છે. સમર્થ નાગરિકોનું ઘડતર, સમાજશ્રેષ્ઠીઓની અદભૂત સફળતામાંથી સૌને પ્રેરણા મળે તેવી લાગણી સાથે આયોજન. સમાજસેવાની જયોત પ્રગટાવતો રકતદાન કેમ્પ પણ રાખવામાં આવ્યો છે.
સુશ્રુત એનોરેકટલ હોસ્પિટલ, રાજકોટના ડો. શ્રી એમ.વી.વેકરીયા અધ્યક્ષસ્થાન શોભાવશે. સમર્થ શિક્ષણવિદ, સૌના પથદર્શક શ્રી ગીજુભાઈ ભરાડ અને ઉદઘાટક ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળાની ઉપસ્થિતિ પણ વિદ્યાર્થીજગતને પ્રેરણાના પિયુષ પુરા પાડશે.
ઉપરાંત શ્રી મયુરભાઈ કોટડીયા (પીઆઈ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન, રાજકોટ), શ્રી પિયુષભાઈ ડોબરીયા (પીઆઈ, એસ.આર.ગ્રુપ-13), રાજકોટ, ડો. નિશાંત માધાણી (એમ.ડી.રેડીયેશન ઓન્કો, રાજકોટ) તથા ડો. મનન પાનેલીયા (એમ.એસ. ઓર્થો., રાજકોટ)નું અદકેરું અભિવાદન કરવામાં આવશે.
આ કાર્યક્રમનું નેતૃત્વ પ્રમુખશ્રી મધુભાઈ પટોળીયા તથા ઉપપ્રમુખશ્રી હરસુખભાઈ સુવાગીયા સંભાળી રહ્યા છે. સાથોસાથ તમામ કારોબારી સભ્યશ્રીઓ અને દાતાશ્રીઓ સર્વે સહયોગ આપી રહ્યા છે.
સમાજશ્રેષ્ઠીઓ તથા આમંત્રીત મહેમાનો: પ્રમુખશ્રી મધુભાઈ પટોળીયા, સેક્રેટરીશ્રી મુકેશભાઈ ગાજીપરા, અધ્યક્ષશ્રી ડો. એમ.વી.વેકરીયા, રમેશભાઈ પાંભર, અનિલભાઈ ઠુમ્મર, કીશોરભાઈ સાવલીયા, ભાણજીભાઈ ડોબરીયા, રસીકભાઈ કપુરીયા, હસમુખભાઈ ચોવટીયા, રમેશભાઈ ટીલાળા, અરવિંદભાઈ દોમડીયા, ભોવાનભાઈ રંગાણી, ધીરુભાઈ સુવાંગીયા, રસીકભાઈ કપુરીયા, મહેશભાઈ સાવલીયા, કમલનયન સોજીત્રા, જગદીશભાઈ ડોબરીયા, રમણીકભાઈ કોટડીયા, હરેશભાઈ સાવલીયા, મુકેશભાઈ પટેલ, ભાવિનભાઈ મોણપરા, ભરતભાઈ ગાજીપરા, મયુરભાઈ કોટડીયા, પિયુષભાઈ ડોબરીયા, ડો. નિશાંત માધાણી, ડો. મનન પાનેલીયો અને ડો. જય માધાણી.