Jamnagarતા.૭
જામનગર તા ૭, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાલંભડી ગામમાં એક વિચિત્ર અગ્નિ અકસ્માતમાં ૭૫ વર્ષના બુઝુર્ગ મહિલાનું ગંભીર સ્વરૂપે દાજી ગયા પછી અપમૃત્યુ થયું છે. ગેસના સ્ટવનું બટન બંધ કરવાનું રાત્રે ભૂલી ગયા પછી વહેલી સવારે દૂધ ગરમ કરવા જતાં રસોડામાં ફેલાયલા ગેસ ના કારણે ભડકો થવાથી ગંભીર સ્વરૂપે દાઝી ગયા હતા. આ વિચિત્ર અગ્નિ અકસ્માતના બનાવની વિગત એવી છે, કે કાલાવડ તાલુકાના બાલંભડી ગામમાં રહેતા કેસરબેન કેશવજીભાઈ હિરપરા નામના ૭૫ વર્ષના બુઝુર્ગ મહિલા, કે જેઓ ગત ૨૧.૧૧.૨૪ ના રાત્રે પોતાના ઘેર ગેસના સ્ટવનું બટન બંધ કરવાનું ભૂલી ગયા હતા, ત્યારબાદ બીજા દિવસે સવારે રસોડામાં દૂધ ગરમ કરવા માટે ફરી ગેસનો ચૂલો ચાલુ કરવા જતાં લાઇટર દબાવવાની સાથે જ રસોડામાં ફેલાયેલા ગેસના કારણે ભડકો થયો હતો.
જેમાં કેસરબેન ગંભીર સ્વરૂપે દાજી ગયા હતા. આથી તેઓને તાત્કાલિક અસરથી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.એસ. જાડેજા એ સમગ્ર બાબતે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.